મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વહિવટી તંત્ર દ્વારા વરસાદી સીઝનમાં  સાવચેતીની માર્ગદર્શિકા બહાર પડાઈ


SHARE











મોરબી જીલ્લામાં વહિવટી તંત્ર દ્વારા વરસાદી સીઝનમાં  સાવચેતીની માર્ગદર્શિકા બહાર પડાઈ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લા માટે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે, જેના કારણે જિલ્લામાં આવેલ ડેમ, નદી- નાળા,તળાવો ઓવરફલો થવાની શકયતાઓ રહેલ છે.

ગત વર્ષોમાં લોકો દ્વારા ગફલતમાં રહી ખોટા સાહસ કરી પાણીમાં ન્હાવા પડાવાથી, પાણીમાં ડુબી જવાથી, વરસાદી પાણીના પ્રવાહમાંથી પસાર થવાના જોખમી પ્રયાસ કરવાના કારણે, તણાઈ જવાના કારણે માનવ મૃત્યુના બનાવો બનેલ છે. આ ઉપરાંત આકાશી  વીજળી પડવાના કારણે પણ માનવ તેમજ પશુ મૃત્યુના બનાવો બનેલ છે. આ અનુસંધાને મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, વરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં ન રહેવું. પાણી ભરાયેલ હોય તેવા સ્થળે પ્રવેશ કરવો નહીં કે ન્હાવા પડવુ નહી, બાળકોને પણ આવા પાણીથી દૂર રાખવા તથા બીન-જરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી.

આકાશી  વીજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ''DAMINI'' એપ મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી આપના વિસ્તારમાં  વીજળી પડવા થવાની શકયતાઓ અંગે અગાઉથી જાણકારી મળી રહેશે. અને ભારે વરસાદ/પુર/ચોમાસા દરમિયાન કોઈ અઘટિત બનાવ બને તો તાત્કાલીક મામલતદાર કચેરી તાલુકા, પંચાયત કચેરી તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાનાં કંટ્રોલરૂમ ખાતે ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ ઉપર તુરંત જાણ કરવા મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોઘ કરવામાં આવે છે.






Latest News