હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના આણંદપર પાસે પથ્થરની ખાણમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના આણંદપર પાસે પથ્થરની ખાણમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના આણંદપર ગામ પાસે આવેલ પથ્થરની ખાણમાં કામગીરી દરમિયાન યુવાનને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયુ હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને અકસ્માત મોતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના આણંદપર ગામ પાસે આવેલ પથ્થરની ખાણમાં કામગીરી કરતા મૂળ યુપીના રહેવાસી અને હાલમાં આણંદપર ગામે રહેતા ચંદ્રેશકુમાર બિંદ નામના યુવાનને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયુ હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા જે.જી.ઝાલાએ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રાજકોટ હાઇવે ઉપર ટંકારા પાસે આવેલ લજાઇ ચોકડીએ બાઈક સાથે ખૂંટીયો અથડાતા વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં રાજકોટના રહેવાસી નરેશ નારણ સોલંકી (૩૫) અને રોહિત વિરમભાઈ (૩૦) નામના બે યુવાનોને ઇજાઓ થવાથી બંનેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા વશરામભાઈ ભુરાભાઈ ઘેટીયા નામના ૬૬ વર્ષીય અધેડ ઘરેથી મંદિર તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઈક ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.તેમજ મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતો રમેશભાઈ રણછોડભાઈ ભાનુશાળી નામનો ૩૮ વર્ષનો યુવાન શનાળા રોડ ઉપરથી જતો હતો ત્યારે ત્યાં સત્યમ પાન નજીક તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News