મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના આણંદપર પાસે પથ્થરની ખાણમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના આણંદપર પાસે પથ્થરની ખાણમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના આણંદપર ગામ પાસે આવેલ પથ્થરની ખાણમાં કામગીરી દરમિયાન યુવાનને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયુ હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને અકસ્માત મોતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના આણંદપર ગામ પાસે આવેલ પથ્થરની ખાણમાં કામગીરી કરતા મૂળ યુપીના રહેવાસી અને હાલમાં આણંદપર ગામે રહેતા ચંદ્રેશકુમાર બિંદ નામના યુવાનને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયુ હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા જે.જી.ઝાલાએ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રાજકોટ હાઇવે ઉપર ટંકારા પાસે આવેલ લજાઇ ચોકડીએ બાઈક સાથે ખૂંટીયો અથડાતા વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં રાજકોટના રહેવાસી નરેશ નારણ સોલંકી (૩૫) અને રોહિત વિરમભાઈ (૩૦) નામના બે યુવાનોને ઇજાઓ થવાથી બંનેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા વશરામભાઈ ભુરાભાઈ ઘેટીયા નામના ૬૬ વર્ષીય અધેડ ઘરેથી મંદિર તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઈક ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.તેમજ મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતો રમેશભાઈ રણછોડભાઈ ભાનુશાળી નામનો ૩૮ વર્ષનો યુવાન શનાળા રોડ ઉપરથી જતો હતો ત્યારે ત્યાં સત્યમ પાન નજીક તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News