મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

જૂનાગઢના ચાપરડા ખાતે સંસ્કૃત ભારતી દ્વારા યોજનારા કાર્યક્રમમાં મોરબીથી ૪૦ લોકો જોડાશ


SHARE







જૂનાગઢના ચાપરડા ખાતે સંસ્કૃત ભારતી દ્વારા યોજનારા કાર્યક્રમમાં મોરબીથી ૪૦ લોકો જોડાશ

સંસ્કૃત ભારતી દ્વારા જૂનાગઢના ચાપરડા ખાતે આગામી તા.૯ અને ૧૦ ના રોજ સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રથમ અધિવેશન રાખવામા આવ્યું છે જેમાં મોરબીથી પણ હોદેદારો જવાના છે

આગામી તા.૯ અને ૧૦ જુલાઈના રોજ જૂનાગઢ પાસે આવેલ બ્રહ્માનંદ વિદ્યાલય- ચાપરડા ખાતે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રથમ અધિવેશન મળવા જઈ રહ્યું છે. આ અધિવેશનમાં મોરબી જનપદ તરફથી ૨૪ ભાઈઓ, ૧૬ બહેનો કુલ ૪૦ કાર્યકરો ભાગ લેશે અને ચાપરડાની બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે મળનારા સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રથમ અધિવેશનમાં સૌરાષ્ટ્રભરના કાર્યકરો ભાગ લેવા માટે આવશે ત્યારે મોરબી જનપદ તરફથી પણ શિક્ષકો, ડોક્ટર્સ ,સીરામીક વ્યવસાય સાથે જોડાયેલ, વકીલ, વિદ્યાર્થી, ગૃહિણીઓ એમ વિવિધ ક્ષેત્ર તેમજ ટંકારા, વાંકાનેર, મોરબી  સ્થાનમાંથી કાર્યકરો ભાગ લેશે. આ અંગેની માહિતી સંસ્કૃત ભારતી મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લ અને સહસંયોજક મયુરભાઈ શુક્લ દ્વારા આપવામાં આવી છે.






Latest News