મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરકારી વકીલની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો


SHARE







વાંકાનેરના સરકારી વકીલની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરની કોર્ટમાં સરકારી વકીલ તરીકે છેલ્લા ૧૩ વર્ષથી ફરજ બજાવતા સી.એલ. દરજીની માતર તાલુકામાં બદલી કરવામાં આવતા તેનો વિદાય સમારોહ વાંકાનેર બાર એસોસિએશનના પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં એડિશનલ જજ એ.આર. રાણા, સિનિયર સિવિલ જજ શર્મા, તેમજ એસ.કે પટેલ હાજર રહ્યા હતા અને વિદાય લેતા સરકારી વકીલ સી.એલ. દરજીનું સાલ ઓઢાળીને બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો સહિતનાએ સન્માન કર્યું હતું અને તેની સાથોસાથ તાજેતરમાં જ વાંકાનેરની કોર્ટમાં મુકાયેલા જજ એસ.કે પટેલને આવકારીને તેનું પણ સન્માન બાર એસો.ના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાર એસો.ના ઉપપ્રમુખ પ્રીતિ શાહ, જોઇન્ટ સેક્રેટરી એમ.આર સોલંકી, કમલેશભાઈ ચાવડા, સરકારી વકીલ આશાબેન પટેલ તેમજ બાર એસો.ના તમામ સભ્યો અને કોર્ટનો સ્ટાફ હાજર રહ્યો હતો






Latest News