મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના બહેનો સાથેના સંવાદમાં મોરબી જિલ્લાના સખીમંડળની બહેનો જોડાઈ


SHARE







પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના બહેનો સાથેના સંવાદમાં મોરબી જિલ્લાના સખીમંડળની બહેનો જોડાઈ

સ્વસહાય (SHG)ની બહેનો માટે યોજાયેલ ખાસ સંવાદ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બહેનોને માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે સ્વસહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહી સહભાગી બની હતી. ઉપરાંત મોરબી જિલ્લાના ૩૦૮ ગામો તેમજ તાલુકા તથા જિલ્લા કક્ષાના તમામ કાર્યક્રમમાં ૩૦,૦૦૦ થી વધુ સખી મંડળના બહેનો દ્વારા આ કાર્યક્રમ લાઈવ નિહાળવામાં આવ્યો હતો અને મહિલાઓ યુવાનો સાથે ખભેખભા મેળવીને કામ કરી રહી છે તથા અન્ય પ્રવૃત્તિઓમાં જોડાઈને આત્મનિર્ભરતા તરફ મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે ત્યારે દેશના વિકાસ માટે હંમેશા તત્પર રહેનાર પ્રધાનમંત્રી સખીમંડળની મહિલાઓને સુચારૂ માર્ગદર્શન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂરુ પાડયુ હતું.

 






Latest News