મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપુર ગામે ગળાફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત


SHARE











ટંકારાના કલ્યાણપુર ગામે ગળાફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા ગૌરવ છગનભાઈ દુબરીયા (ઉંમર ૨૨)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે અને હાલમાં આ બનાવની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર. વઘેરા ચલાવી રહ્યા છે અને યુવાની કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ગુમ થયેલ પરિણીતા મળી આવી

મોરબીના કંડલા બાયપાસ ઉપર શનાળા પાસે આવેલ ગોકુલનગર નજીકની ખોજા સોસાયટીમાં રહેતા કરીમભાઈ અબ્દુલભાઈ પબાણી જાતે ખોજા નામના ૩૫ વર્ષીય યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી કે તેઓની પત્ની સીમાબેન કરીમભાઈ પબાણી ખોજા (ઉમર ૨૫) તેમના સાડા ચાર વર્ષીય પુત્ર સલીમને લઈન ઘરેથી નીકળી ગયા છે અને ઘરમેળે તપાસ કરવા છતાં તેઓનો પત્તો લાગ્યો નથી.દરમિયાનમાં ખુલાસો થયો હતો કે ગુમ થયેલા સીમાબેનને પોતાના પતિ સાથે મનમેળ ન હોય તેમની સાથે રહેવા માગતા નથી અને એકલા રહેવા માગે છે. તેમજ સુનિલ રમેશ કાથવયરાણી જાતે લોહાણા (૩૭) ધંધો ફ્રુટનો વેપાર રહે.લાતી પ્લોટ શેરી નંબર-૩ મોરબી સાથે મૈત્રી કરાર કરેલા છે જેથી પોલીસે આ અંગે નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News