મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના કુંભારપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૯,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા


SHARE













વાંકાનેરના કુંભારપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૯,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા

વાંકાનેરના કુંભારપરામાં આવેલ રામાપીરના મંદીર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપીયા ૧૯૫૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી

વાંકાનેર પોલીસ સ્ટેશનના દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળાને સંયુકત હકીકત મળેલ હતી કે કુંભારપરામાં રામાપીરના મંદીર પાસે જાહેર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે નવઘણભાઈ વજાભાઈ શામળ જાતે રબારી ઉ.૩૫, લાલજીભાઈ બાબુભાઇ સારદીયા જાતે કોળી ઉ.૩૫, રાજુભાઈ જગાભાઈ ઉઘરેજા જાતે કોળી ઉ.૪૨ અને અનીલભાઈ નરશીભાઈ તાવીયા જાતે કોળી ઉ.૩૯ રહે. બધા જ કુંભારપરા વાળાની પોલીસે રોકડા રૂપીયા ૧૯૫૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી છે અને આ કામગીરી પીઆઇ એચ.એન.રાઠોડની સૂચના મુજબ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા, અજીતભાઈ ભુરાભાઈ સોલંકીએ કરી હતી 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News