હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૨૩ સખી મંડળોને ૩૪૪ લાખની સી.સી. લોન ધિરાણના હુકમો એનાયત કરાયા


SHARE











મોરબીમાં ૨૨૩ સખી મંડળોને ૩૪૪ લાખની સી.સી. લોન ધિરાણના હુકમો એનાયત કરાયા

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આયોજિત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન  કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત કચેરી ખાતે બુધવારે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓ સ્વબળે આગળ વધે, પુરુષ સમોવડી બની પરિવારમાં આર્થિક સમૃદ્ધિ લાવે તેવા ગુજરાત સરકારે પ્રયત્નો કર્યા છે. કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી જયંતીભાઈ પડસુંબીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બહેનોની ચિંતા કરતા આવ્યા છે અને તેમણે ‘નારી તું નારાયણી’ સુત્રને સાર્થક કર્યું છે. સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હંસાબેન પારેધીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારની ગરીબ પરિવારની બહેનોને સ્વરોજગારી પુરી પાડી ગરીબીમાંથી બહાર લાવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના (DAY-NRLM) ૨૦૨૨-૨૩ અંતર્ગત સખી મંડળની બહેનોને સી.સી. લોન દ્વારા આર્થિક પ્રવૃતિ કરી ગરીબીમાંથી આગળ આવે તે હેતુથી કેશ ક્રેડિટ લોન કેમ્પમાં ૨૪૦ સખીમંડળોને કુલ રૂપિયા ૩૬૧ લાખ રકમની સી.સી. લોન મંજૂર કરવામાં આવી હતી. તેમજ ૨૨૩ સખીમંડળોને ૩૪૪ લાખ રકમની સી.સી. લોન ધિરાણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ૧૪ જેટલા સ્વસહાય જૂથોને ટોકન સ્વરૂપે ચેક તેમજ મંજૂરીપત્રો મહાનુભવોના હસ્તે અર્પણ કરાયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશિતાબેન મેર,  કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ટમારીયા, શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, અગ્રણી સર્વશ્રી જીગ્નેશભાઈ કૈલા, કિશોરભાઈ ચીખલિયા, વાઘજીભાઈ ડાંગરોચા, નથુભાઈ કડીવાર, રવજીભાઈ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સ્ટાફ અને સ્વસહાય જૂથોના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News