મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદમાં ખજુરભાઇની ગરજ સારતુ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ : જરૂરીયાતમંદ પરિવારને સધીયારો આપ્યો


SHARE











હળવદમાં ખજુરભાઇની ગરજ સારતુ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ : જરૂરીયાતમંદ પરિવારને સધીયારો આપ્યો

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ કેજે છેલ્લા છ વર્ષથી હળવદમાં સેવાની અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને લોકો માટે એક અગ્રીમ સામાજિક સંસ્થા બની ચૂકી છે. ત્યારે હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા એક જરૂરીયાતમંદ પરિવારનું મકાન છત વગરનું હોય અને આગામી દિવસોમાં વરસાદ આવવાનો હોય તે પરીવારના જર્જરીત હાલતમાં રહેલા મકાનનું રીનોવેશ હાથ ધરવામા આવ્યુ હતુ.તે પરીવારનું મકાન પડી જાય તે હાલતમાં હતુ.ચોમાસા દરમ્યાન મકાનની અંદર પાણી પડતાં મકાનમાં રહેવું પણ મુશ્કેલ બની જતું હતુ. ત્યારે એક વ્યક્તિએ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપનો સંપર્ક કરીને આ પરિવારને મદદ કરવાનું જણાવ્યું હતુ ત્યારે તાત્કાલિક ચોમાસુ નજીક હોવાથી સ્થળ પર જઈને તપાસ કરીને ગૃપે દાતાઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અનેક દાતાઓએ પોતાની બનતી તમામ મદદ કરવા જણાવ્યું અને ગ્રુપ દ્વારા જરૂરી તમામ સામગ્રી એકઠી કરી ગ્રુપના સભ્યો તેમજ મજૂરો દ્વારા માત્ર ચાર દિવસમાં તે પરીવારના મકાનનું રીનોવેશ ન કામને પૂર્ણ કરી પરિવારને જરૂરિયાત પ્રમાણે મકાન ઊભું કરવામાં સહયોગી બન્યુ હતુ. મકાન જોતાની સાથે જ પરિવારમાં રહેલ ત્રણ બાળકો અને નાની દીકરી કેજે અંદાજિત સાત વર્ષની ઉંમરની છે તેની આંખમાંથી.હર્ષના આંસુ નીકળી ગયા હતા અને પરિવાર ખૂબ જ ખુશખુશાલ થઇ ગયો હતો તેમજ આગામી સમયમાં જ્યાં સુધી પરીવાર પગભર ન થાય ત્યાં સુધી રાત્રીના ભોજનની વ્યવસ્થા પણ આ ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવી હતી. જે રીતે વાવાઝોડા બાદ રાજુલા સહીતના અનેક વિસ્તારોમાં લોકોના મકાનો ધરાશાયી થવાથી જાણીતા યુટુબર નિશાંત જાની (ખજૂરભાઇ) દ્વારાજે રીતે જરૂરીયાતમંદ પરીવારોમા ઘર સુધી જઇને સ્થળ તપાસ કરીને જે રીતે મદદરૂપ બનવામાં આવે છે અને તેઓના આશીયાના (ઘર) બાંધી દેવાની જે સેવા કરવામાં આવી રહી છે તેવા પ્રકારની પ્રવૃત્તિ હળવદના આ ફ્રેન્ડ યુવા સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા તેઓની હળવદ પંથકમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે.






Latest News