મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા પાસે કારખાનામાં યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો


SHARE











વાંકાનેરના વઘાસિયા પાસે કારખાનામાં યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા જી.આઈ.ડી.સી પાસે કારખાનામાં પાણીની ટાંકી પાસે યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા મુકેશભાઇ આડેસરાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી કે તેઓની માલિકીનું વઘાસીયા જીઆઇડીસીમાં એકયુટોપ સીરામીક નામનું કારખાનું આવેલ છે તેની પાણીની ટાંકી પાસે સૌરભભાઈ રેવતીપ્રસાદ ચૌધરી (ઉંમર ૨૨) રહે. હાલ એકયુટોપ સીરામીક કારખાનાવાળાએ પાણીની ટાંકી પાસે ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ ખાતે ખસેડવામાં આવેલ હતો અને આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે આવેલ ભક્તિનગરમાં રહેતા વિનોદભાઈ મુકેશભાઈ પરમાર (૧૮) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને આ યુવાનને સારવાર માટે મોરબીના સવસાર પ્લોટ વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જાંબુડીયા ગામ પાસેથી પગપાળા પસાર થઈ રહેલા કુણાલભાઈ મંગળભાઈ કુમાર (ઉંમર ૩૩) નામના યુવાનને અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લીધા હતા જેથી તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News