મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સસરાને મૂકીને પરત ઘરે જતા થયેલ વાહન અકસ્માતના બનાવમાં યુવાનનું મોત


SHARE











મોરબીમાં સસરાને મૂકીને પરત ઘરે જતા થયેલ વાહન અકસ્માતના બનાવમાં યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના સુરવદર ગામ પાસે ગત મોડીરાત્રીના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ગંભીરપણે ઘવાયેલા આદીવાસી યુવાનને સારવાર માટે જેતપર લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવતો હતો તે દરમિયાન રસ્તામાં તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના સુરવદર ગામ પાસે ગઈકાલે બાઇકનો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઇજાઓ થવાથી માકડીયાભાઈ વેરશીભાઈ રાઠવા (ઉમર ૩૦) રહે. ઘાંટીલા(જેતપર) તા.જી.મોરબી વાળાને માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જેતપર પીએચસી ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે ૧૦૮ વડે મોરબી લાવવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ માકડીયાભાઇ રાઠવા નામના આદીવાસી યુવાનનું મોત નીપજયું હતું.બનાવને પગલે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને તેમાં ખૂલ્યું હતું કે મૃતક માકડીયાભાઈ રાઠવા પોતાના સસરાને મુકવા માટે હળવદના દેવળિયા ગામ ગયા હતા અને દેવળીયા હામે સસરાને મુકીને તેઓ ત્યાંથી પરત બાઇક લઇને ઘાંટીલા જતા હતા ત્યારે રસ્તામાં હળવદના સુરવદર ગામ પાસે સર્જાયેલા બાઇકના વાહન અકસ્માતના બનાવમાં માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને લીધે તેઓનું મોત નીપજ્યું હતું.

ઇજા થતા યુવાન સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતો જીગ્નેશ ચંદ્રકાંતભાઈ જયસ્વાલ નામનો ૩૩ વર્ષીય યુવાન દુકાનેથી ધંધાની ફેરી કરવા માટે લારી લઇને ત્રાજપર ચોકડી પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેને લારી પગના ભાગે લાગી જતા ઈજાઓ પહોંચી હોવાથી સારવારમાં ખસેડાયો હતો.જ્યારે જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા અલ્કાબેન મહેશભાઈ સરવૈયા નામની ૨૦ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતી હતી ત્યારે રસ્તામાં બાઇકમાંથી નિચે પડી જતાં તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.

મારામારીમા ઇજા

મોરબીના કંડલા બાયપાસ તુલસીપાર્ક નજીકના આનંદનગર વિસ્તારમાં રહેતા જય રામાભાઈ મકવાણા જાતે રાવળદેવ નામના ૨૭ વર્ષીય યુવાનને ત્યાં જ રહેતા હાર્દિક ચના મકવાણા નામના ઈસમે નજીવી બાબતે ઝઘડો કરીને માર માર્યો હતો જેથી કરીને જય મકવાણાને સારવારમાં ખસેડાયો હતો બાદમાં તેણે બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.






Latest News