મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસે કારખાનામાં ગળેફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબીની ત્રાજપર ચોકડી પાસે કારખાનામાં ગળેફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના ત્રાજપર ચોકડી પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ અનિલ સિરામિકમાં રામદયાલ શાહ નામનો યુવાન કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે અને યુવાને કયા કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

હાર્ટ એટેકથી મોત

મોરબી શહેરના ઘુટુ રોડ ઉપર આવેલ હિલસેરા સિરામિકના કવાર્ટરમાં રહેતા મનોજભાઈ રામબચ્ચનભાઈ શાહ (ઉંમર ૪૭) ને હાર્ટ એટેકનો હુમલો આવી જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની તેના ભાઈ રાજકુમાર રામબચ્ચનભાઈ શાહએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News