મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબીના ઘુટુ ગામે થ્રેસર મશીનમાં માથામાં બાંધેલી ચુંદડી ફસાઈ જતા પરણીતાનું માથું ધડથી અલગ થઈ જતા મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાફીકના પ્રશ્નને ઉકેલવા એસપીને કરવામાં આવ્યા સૂચનો


SHARE











મોરબીમાં ટ્રાફીકના પ્રશ્નને ઉકેલવા એસપીને કરવામાં આવ્યા સૂચનો

મોરબીમાં ટ્રાફીકના પ્રશ્નને ઉકેલવા માટે નક્કર કામગીરી કરવામાં આવતી નથી એટલા જ માટે વર્ષો જૂના પ્રશ્નો આજની તારીખે પણ યથાવત છે ત્યારે મોરબી જીલ્લના અન્ન નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર દ્વારા એસપીને શહેરના ટ્રાફિકના પ્રશ્નો ઉકેલવા માટે કેટલાક સૂચનો કરવામાં આવેલ છે

મોરબી જીલ્લના અન્ન નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ હાલમાં એસપીને લેખિતમાં રજૂઆત કરીને મોરબી ટ્રાફીકના પ્રશ્નને ઉકેલવા માટેના સુચનો કરેલ છે જેમાં મોરબી નવા બસ સ્ટેન્ડ શનાળા રોડ તરફથી આવતા વાહનોને અયોધ્યાપુરી રોડ થઇને જડેશ્વર મંદીરથી સ્ટેશન રોડથી સીધા જવા જોઇએ, કરછ તરફથી રાજકોટ જતા વાહનોને વી.સી. ફાટક થી રેલ્વે સ્ટેશનથી નવલખી રોડથી બાયપાસ રાજકોટ જઇ શકાય છે . પરંતુ સાઇન બોર્ડના હોવાને કારણે આ વાહન ચાલક શહેરમાં આવી છે અને ટ્રાફિક થાય છે, મોરબી ગાંધી ચોકથી શનાળારોડ હાલમા વનવે છે તે ખોટો છે કારણકે ગાંધી ચોકથી રવાપર રોડ પર જતા વાહનો અને શનાળા રોડ પર જતા વાહનો બંને ભેગા થાય છે જેના લીધે ટ્રાફીક થાય છે, સ્ટેશન રોડ ઉપર જડેશ્વરના મંદીર પાસે એક ટ્રાફીકનો માણસ મુકવો જોઇએ જેથી વન-વેનો અમલ કરાવે, મહેન્દ્ર ચોકડીએ દરરોજ હજારો વાહનની અવરજવર થાય છે. પરંતુ એકપણ જગ્યાએ ટ્રાફીક કોન્સ્ટેબલ ન હોય ટ્રાફીક જામની સમસ્યા થાય છે, મહારાણા પ્રતાપ સર્કલ હાઉસીંગ બોર્ડ પાસે અવારનવાર ટ્રાફીક જામ થાય છે ત્યાં  મૂકવામાં આવતા માણસ યોગ્ય રીતે કામ કરે તે જરૂરી છે અને મોરબી જુના બસ સ્ટેન્ડની અંદર ચોરીના બનાવો બને છે જેથી કરીને ત્યાં પણ પોલીસ મૂકવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે






Latest News