મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા જિલ્લાની શાળાઓમાં ચેકિંગ કરવા કરાઇ રજૂઆત


SHARE











મોરબી એબીવીપી દ્વારા જિલ્લાની શાળાઓમાં ચેકિંગ કરવા કરાઇ રજૂઆત

મોરબી એબીવીપી દ્વારા માળીયાની કન્યા છાત્રાલયમાં બનેલ દુર્ઘટના વિરૂદ્ધ તેમજ વિદ્યાર્થીઓને અકસ્માતનો ભોગ બનતા અટકાવવા આગમચેતી પગલા લેવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, શુક્રવારે માળિયા તાલુકાની કન્યા શાળામાં વર્ષો જુનો ભોય ટાંકાની છતનો ભાગ તુટી પડતા શાળાની સાત થી આઠ વિધાર્થીનીઓ ભોય ટાંકામા પડી હતી પણ સદનસીબે જાનહાનિ થઈ નથી પણ જર્જરિત ટાંકાને કારણે બનેલી ધટના લાલબત્તી સમાન છે અને કદાચ આ વિદ્યાર્થીઓને કંઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ? તેવો સવાલ એબીવીપી મોરબી દ્વારા ઉઠાવીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જિલ્લામાં આવેલ તમામ શાળાઓ સરકારી તેમજ ખાનગીમા લટકતી છતો કે પછી અકસ્માત સર્જી શકે તેવી કોઈપણ જોખમકારક બાબતો હોય તો તેને તાત્કાલિક દુર કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે તેવું વિશ્વરાજસિંહ જાડેજાએ જણાવ્યુ છે






Latest News