મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન મેમ્બર સ્વ. ધવલભાઈ રાંકજાની દ્વિતીય પુણ્યતિથી અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ


SHARE











મોરબીમાં લાયન મેમ્બર સ્વ. ધવલભાઈ રાંકજાની દ્વિતીય પુણ્યતિથી અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ

લાયન્સ કલબના લાઇવ વાયર અને સેવાકીય પ્રવૃતિમાં હમેશ અગ્રેસર રહેતા અને માનવ સેવા એજ પ્રભુ સેવાસુત્ર ને સત્કર્મ  દ્વારા સાર્થક કરનાર લાયન સ્વ. ધવલભાઈ રાંકજાની આજ રોજ દ્વિતીય પુણ્યતિથી નિમિતે તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા લાયન્સ ક્લબ મોરબી નઝરબાગ  દ્વારા અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,  બે વર્ષ પહેલા મોરબી રેલ્વે સ્ટેસન ખાતે ઠંડા પાણીનું પરબ ક્લબ દ્વારા બનાવામાં આવેલ હતું તેનાથી પણ અત્યાધુનિક ૧૦ લોકો એકી સાથે પાણી પી સકે તેવું ઠંડા પાણીનું પરબ વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આજ રોજ ખુલ્લું મુકવામાં આવ્યું હતુ અને સાથે સાથે અન્ય પ્રોજેક્ટ્સ માં સંસ્કારધામ બ્લડ બેંક નાં સહયોગ થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૪૦ થી વધુ બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું, અને સમર્પણ હોસ્પિટલ મોરબી-૨ ખાતે  સ્વ. ધવલભાઈ રાંકજા ની  સ્મૃતિમાં એમ્બુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત લાયન્સ સ્કુલ શનાળા ખાતે આચાર્ય ડો. અમૃત કાંજીયા નાં માર્ગદર્શન હેઠળ બાળકોને ૫-૫ નંગ ફૂલ સ્કેપ ચોપડા વિતરણ તેમજ વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા રામઘાટ અને શોભેસ્વર મંદિર ખાતે બેસવાના RCC બાંકડા મુકવામાં આવ્યા હતા અને અંતમાં વૃધ્ધાશ્રમ અને ગૌશાળા ખાતે બપોરના ભોજન નું પણ આયોજન લાયન્સ ક્લબ નાં સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત તમામ પ્રોજેક્ટમાં સ્વ. ધવલ રાંકજા નાં પરિજનો હાજર રહ્યા હતા, ઉપરોક્ત તમામ પ્રોજેક્ટ ક્લબનાં તમામ સભ્યોના સાથ સહકાર થી તેમજ ક્લબ પ્રમુખ ડો . પ્રેયસ પંડ્યા તેમજ સેક્રેટરી દિનેશ વિડજા નાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયા હતા






Latest News