મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરડા પાસે રિક્ષા પલટી મારી જતા મોડપરના યુવાનનું મોત


SHARE











મોરબીના ખાખરડા પાસે રિક્ષા પલટી મારી જતા મોડપરના યુવાનનું મોત

મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ ખાખરાળા ગામ નજીક છકડો રિક્ષા પલટી મારી જવાનો બનાવ ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાનાં અરસામાં બન્યો હતો જેમાં મોડપર ગામના દેવીપુજક યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ ખાખરાળા ગામ પાસે ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાનાં અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં છકડો રિક્ષા પલટી મારી જવાના બનેલા બનાવમાં મોરબી તાલુકાના મોડપર ગામના રહેવાસી નાગદાનભાઈ સુખાભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક નામના ૪૦ વર્ષીય યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેને અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો જોકે તે દરમ્યાન રસ્તામાં જ સાણંદ પાસે નાગદાનભાઇનું મોત નિપજયુ હતુ.જેના પગલે બે સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી અને પરીવાર શોકમગ્ન બની ગયો હતો.બનાવ અંગે નોંધ કરીને તાલુકા પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ વરમોરા સીરામીકમાં રહેતો ઇમરાન હબીબ મન્સુરી નામનો ૨૮ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાંકાનેર હાઇવે ઉપર અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબીના રહેવાસી મહાદેવભાઈ વેલજીભાઈ ભાડજા નામના ૬૦ વર્ષીય વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઈજાઓ પહોંચતા તેમને પણ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.તે રીતે જ હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા અનિલભાઈ દેવજીભાઈ દલસાણીયા નામનો યુવાન બાઈકમાં જતો હતો ત્યારે તે ગામ નજીક બાઇકમાંથી નિચે પડી જતા ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

મારામારીના ગુનામાં ધરપકડ

મોરબીના લાતી પ્લોટ પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જે અંગે નોંધાયેલી ફરિયાદમાં એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાપડીયા દ્વારા અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઇ ખોળ જાતે મિંયાણા (૨૧) રહે.જોન્સનગર શેરી નંબર ૧૧ લાતીપ્લોટ પાસે મોરબી વાળાની મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.






Latest News