મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીથી રાજસ્થાનના રણુજા ફરવા માટે જતાં યુવાનનું માર્ગ અક્સમાત્મમાં મોત


SHARE











મોરબીથી રાજસ્થાનના રણુજા ફરવા માટે જતાં યુવાનનું માર્ગ અક્સમાત્મમાં મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નિલકમલ સોસાયટીમાં રહેતો યુવાન તેના કૌટુંબિક સાથે એકટીવામાં બેસીને રાજકોટ થઈને રાજસ્થાનમાં આવેલ જૂના રણુજા ફરવા માટે જતો હતો ત્યારે રસ્તામાં લજાઈ ચોકડી પાસે હોટલ નજીક એકટીવા સ્લીપ થઇ ગયું હતું જેથી કરીને પાછળ બેઠેલ યુવાનનું માથામાં ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું અને વાહન ચાલકને નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના દીકરાએ એક્ટિવા ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ચોકડીથી આગળના ભાગમાં જઈ રહેલ એકટીવા નંબર જીજે ૩૬ એએ ૨૦૨૮ ના ચાલક ધનજીભાઈ મગનભાઈ મકવાણા રહે. લીલાપર રોડ નીલકમલ સોસાયટી વાળાના એક્ટિવામાં પાછળના ભાગમાં બેસીને દિનેશભાઈ અરજણભાઈ પરમાર (૪૮) રહે. નીલકમલ સોસાયટી વાળા જઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા સ્લીપ થઈ જવાના કારણે દિનેશભાઇ પરમારને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને એક્ટિવા ચાલક ધનજીભાઈ મકવાણાને નાના મોટી ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં મૃતક દિનેશભાઈના દિકરા ચેતનભાઇ દિનેશભાઇ પરમાર (૨૫) રહે. નીલકમલ સોસાયટી વાળાએ એક્ટિવા ચાલક ધનજીભાઈ મકવાણાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે દિનેશભાઈ અરજણભાઈ પરમાર અને ધનજીભાઈ મગનભાઈ મકવાણા મોરબીથી એકટીવા લઈને રાજકોટ તરફ જતા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે તેઓ રાજસ્થાનમાં આવેલ જુના રણુજા મંદિરે દર્શન કરવા માટે અને ફરવા માટે જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં દિનેશભાઇ પરમારનું મૃત્યુ નિપજયું છે અને અકસ્માતના આ બનાવના કારણે ચાર સંતાનોએ છત્રછાયા ગુમાવી છે






Latest News