મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમથી મહેશ ભગવાનની જન્મ જયંતિ ઉજવાઇ


SHARE











મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમથી મહેશ ભગવાનની જન્મ જયંતિ ઉજવાઇ

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા દર વર્ષે મહેશ નવમી નિમિત્તે મહેશ ભગવાનની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આ વખતે પણ મહેશ નવમીના દિવસે મોરબી શહેરના શનાળા રોડ અને રવાપર રોડ ઉપર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં મોરબીમાં રહેતા માહેશ્વરી સમાજના લોકો સહપરિવાર જોડાયા હતા અને વાજતેગાજતે શોભાયાત્રા શહેરના માર્ગો પરથી પસાર થઈ હતી ત્યારબાદ મોરબીમાં આવેલ લૂહાર જ્ઞાતિની વાડી ખાતે માહેશ્વરી સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ તકે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા તેમજ મોરબી માળીયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી માહેશ્વરી સમાજના પ્રમુખ ઉમેશભાઈ કચોરીયા, પિયુષભાઈ કૈલા, હરીશભાઇ કૈલા જયસુખભાઇ કૈલા, રાજભાઈ આસનાની અને મયુરભાઈ માહેશ્વરી સહિતના સમાજના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News