મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ઝળહળતું પરિણામ: ધો.10ની પરીક્ષામાં મોરબીની નવયુગ વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ


SHARE











ઝળહળતું પરિણામ: ધો.10ની પરીક્ષામાં મોરબીની નવયુગ વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ

મોરબી પંથકમાં રિઝલ્ટના રાજા તરીકે જાણીતી નવયુગ વિદ્યાલયનું તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ધો. 10 નું ઝળહળતું પરિણામ આવ્યું છે અને આ વખતે પણ નવયુગ સ્કૂલના 14 વિદ્યાર્થીઓને ધો.10 માં એ-વન ગ્રેડ આવેલ છે

 તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ધો.10 ના પરિણામમાં મોરબી જિલ્લો સમગ્ર રાજયમાં બીજા ક્રમે આવેલ છે જો કે, મોરબીમાં આવેલ નવયુગ વિદ્યાલયનું ધો.10નું પરિણામ 98.38 ટકા આવ્યું છે અને નવયુગ સ્કૂલના કુલ મળીને 14 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવેલ છે જેમાં નવયુગ વિદ્યાલયના ગૌસ્વામી વિધેશપુરીને 99.95 પીઆર, સંતોકી તરંગને 99.88 પીઆર, કોટક હરિકૃષ્ણને 99.88 પીઆર, કૈલા તન્વીને 99.88 પીઆર, સીણોજીયા હેનિલને 99.88 પીઆર, ભીમાણી વિશ્વાને 99.68 પીઆર, ભગદેવ પ્રિયાંશીને 99.54 પીઆર, જીવાણી જાનવીને 99.50 પીઆર, ત્રિવેદી પૂજાને 99.46 પીઆર, મેરજા દર્શીતાને 99.46 પીઆર, ગામી મંથનને 99.26 પીઆર, અમૃતિયા હેતને 99.21 પીઆર, વીરપરિયા ક્રિષ્નાને 99.09 પીઆર તેમજ ગઢિયા હેતને 98.79 પીઆર આવેલ છે જેથી એ-વન ગ્રેડ મેળનારા સહિતના તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ શુભેચ્છાઓ પાઠવીને જીવનમાં વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી છે.






Latest News