મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદના શરણેશ્વર તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE











હળવદના શરણેશ્વર તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત

હળવદમાં આવેલ શરણેશ્વર તળાવમાં ડૂબી જવાના કારણે આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પી.એમ.માટે હળવદની સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને અકસ્માતનાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં શરણેશ્વર મંદિર નાકા પાસે રહેતા પરેશભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે દરજી (ઉંમર ૫૦) શરણેશ્વર તળાવમાં કોઈ કારણોસર ડૂબી ગયા હતા જેથી કરીને આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા ત્યાં આવી હતી અને તળાવમાં પડી ગયેલા પરેશભાઈ રાઠોડના બોડીને તરવૈયાઓએ બહાર કાઢતા તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી રહ્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News