મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરૂ પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇએ ઝંડી આપીને સાયક્લોથોનનું કરાવ્યુ પ્રસ્થાન


SHARE











મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇએ ઝંડી આપીને સાયક્લોથોનનું કરાવ્યુ પ્રસ્થાન

અંગ દાન મહાદાન અભિયાન અંતર્ગત મોરબીમાં નગરપાલિકા તેમજ ખાનગી ન્યૂઝના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સાયક્લોથોનનું પ્રસ્થાન રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા કરવામાં આવ્યું હતું. અને મોરબીના ટાઉનહોલ ખાતેથી સાયક્લોથોન વસંત પ્લોટ, રવાપર રોડ, નરસંગ ટેકરી મંદિર, રવાપર ચોકડી થઈને ઉમિયા સર્કલ પહોંચી હતી બાદમાં શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ, રામ ચોક સહિતના વિસ્તારમાં ફરીને નગરપાલિકા કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ તકે મંત્રી ઉપરાંત ઇન્ચાર્જ અધિક કલેકટર અને મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અંબારામભાઈ કવાડીયા સહિતના આગેવાનો તેમજ બાળકો, યુવાનો અને વૃદ્ધોએ પણ તેમાં ભાગ લીધો હતો






Latest News