વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વિર વિદરકામાં દીકરીની ખરાબ વાતો કરનારને સમજાવવા ગયેલ ચાર વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











માળીયા(મી)ના વિર વિદરકામાં દીકરીની ખરાબ વાતો કરનારને સમજાવવા ગયેલ ચાર વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો

માળીયા તાલુકાના વિર વિદરકા ગામે રહેતા પરિવારની દિકરી વિશે ગામમાં એક શખ્સ ખરાબ વાતો કરતો હતો જેથી ખરાબ વાતો કરનારા શખ્સને સમજાવવા માટે ચાર વ્યક્તિઓ ગયા હતા ત્યારે તેઓની સાથે માથાકૂટ કરીને બોલાચાલી કરીને ગાળો આપી પથ્થરમાં છુટ્ટા ઘા કરીને તેમજ બાવળના બડીકાથી ચાર શખ્સોએ માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા ચાર વ્યક્તિઓને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાર બાદ એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા તાલુકાના વિર વિદરકા ગામે રહેતા હીરાભાઈ રતુભાઈ થરેશાએ માળીયા તાલુકાના વિર વિદરકા ગામે રહેતા વિક્રમભાઈ જેન્તીભાઈ શંખેશરીયા, સુધીરભાઈ લાલજીભાઈ શંખેશરીયા, બટુકભાઈ રણછોડભાઈ શંખેશરીયા અને જયંતિભાઈ લાલજીભાઈ શંખેશરીયાની સામે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી વિક્રમ જયંતીભાઈ શંખેશરીયા રમેશભાઈ રતુભાઈની દીકરી વિશે ગામમાં ખરાબ વાતો કરતો હતો જેથી કરીને તેને સમજાવવા માટે થઈને તેઓ અને તેની સાથે નિલેશભાઈ, ભરતભાઈ અને અજયભાઈ ગયા હતા ત્યારે આરોપી વિક્રમભાઈ, સુધીરભાઈ, બટુકભાઈ અને જયંતિભાઈએ તેઓની સાથે માથાકૂટ કરી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને પથ્થર છુટ્ટા ઘા કરીને તેમજ લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને સમજાવવા માટે ગયેલા ચારેય વ્યક્તિઓને ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં અને ત્યાર બાદ હીરાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News