મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: તપાસની કરી માંગ


SHARE













મોરબી પાલિકામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: તપાસની કરી માંગ

મોરબી નગરપાલિકા દ્વારા હાલમાં પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે માત્ર ઉપાછલ્લી દેખાવ પૂરતી જ કામગીરી થાય છે તેવો આક્ષેપ કર્યો છે અને પ્રિમોન્સુનમાં શહેરના વોકળા અને મોટી ગટરો વિગેરેની સફાઈ થવી જોઈએ તે થતી નથી જેથી કરીને પ્રિમોન્સુન કામગીરી હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવી નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરીને તપાસની માંગ કરેલ છે

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારી નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરીને મોરબીમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને તટસ્થ તપાસની માંગ કરેલ છે તેમણે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કેમોરબી શહેરમાં આવેલ વોકળાઓ જે રાજાશાહી વખતના છે અને પાણીના નિકાલ માટેના હાલમાં આવા વોકળાઓની નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી થઈ હતી જે ફકત ઉપરછલ્લી ફકત ને ફકત બિલ બનાવવા પૂરતી જ કામગીરી થઈ છે ખરેખર આ વોકળાની ઉંડાઈ અને પહોળાઈ તેમજ વોકળાની અંદર ઉગેલ બાવળ તેમજ અનેક કચરાના ઢગલાની જે પ્રમાણે સફાઈ થવી જોઈએ તે થયેલ જ નથી

મોરબી શહેરના મોટાભાગના વોકળાઓ ઉપર કાચું પાકું બાંધકામ થયેલ છે આ બાંધકામ નીચે રહેલ નાળાની સફાઈ બિલકુલ કરવામાં આવેલ નથી . જેથી કરીને આ બાબતની તપાસ કરી સ્થળ ઉપર જઈને હકીકતમાં પ્રિમોન્સુન કામગીરી શું છે અને ખરેખર વોકળાની સફાઈ થઈ છે કેમ ? તેને ચેક કરવાની માંગ કરવામાં આવી છે અને લોકોમાં થતી ચર્ચા મુજબ આ પ્રિમોન્સુન કામગીરી ફક્ત દેખાવ પૂરતી જ કરવામાં આવી છે અને લાખો રૂપિયાના બિલ બનાવવા માટે થયેલ છે અને પ્રિમોન્સુન કામગીરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે જેથી આ પ્રિમોન્સુન કામગીરીની તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News