વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: તપાસની કરી માંગ


SHARE











મોરબી પાલિકામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: તપાસની કરી માંગ

મોરબી નગરપાલિકા દ્વારા હાલમાં પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે માત્ર ઉપાછલ્લી દેખાવ પૂરતી જ કામગીરી થાય છે તેવો આક્ષેપ કર્યો છે અને પ્રિમોન્સુનમાં શહેરના વોકળા અને મોટી ગટરો વિગેરેની સફાઈ થવી જોઈએ તે થતી નથી જેથી કરીને પ્રિમોન્સુન કામગીરી હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવી નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરીને તપાસની માંગ કરેલ છે

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારી નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરીને મોરબીમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને તટસ્થ તપાસની માંગ કરેલ છે તેમણે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કેમોરબી શહેરમાં આવેલ વોકળાઓ જે રાજાશાહી વખતના છે અને પાણીના નિકાલ માટેના હાલમાં આવા વોકળાઓની નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી થઈ હતી જે ફકત ઉપરછલ્લી ફકત ને ફકત બિલ બનાવવા પૂરતી જ કામગીરી થઈ છે ખરેખર આ વોકળાની ઉંડાઈ અને પહોળાઈ તેમજ વોકળાની અંદર ઉગેલ બાવળ તેમજ અનેક કચરાના ઢગલાની જે પ્રમાણે સફાઈ થવી જોઈએ તે થયેલ જ નથી

મોરબી શહેરના મોટાભાગના વોકળાઓ ઉપર કાચું પાકું બાંધકામ થયેલ છે આ બાંધકામ નીચે રહેલ નાળાની સફાઈ બિલકુલ કરવામાં આવેલ નથી . જેથી કરીને આ બાબતની તપાસ કરી સ્થળ ઉપર જઈને હકીકતમાં પ્રિમોન્સુન કામગીરી શું છે અને ખરેખર વોકળાની સફાઈ થઈ છે કેમ ? તેને ચેક કરવાની માંગ કરવામાં આવી છે અને લોકોમાં થતી ચર્ચા મુજબ આ પ્રિમોન્સુન કામગીરી ફક્ત દેખાવ પૂરતી જ કરવામાં આવી છે અને લાખો રૂપિયાના બિલ બનાવવા માટે થયેલ છે અને પ્રિમોન્સુન કામગીરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે જેથી આ પ્રિમોન્સુન કામગીરીની તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News