મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા પાસે બાઇક આડે નીલગાય ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE







વાંકાનેરના જાલીડા પાસે બાઇક આડે નીલગાય ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામથી આગળના ભાગમાં નેશનલ હાઈવે ઉપરથી પસાર થતાં બાઇકચાલકના બાઈકની આડે નીલગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ નવાપરા ખાતે રહેતા ભરતભાઈ કમલેશભાઈ વાળા (ઉમર ૩૭) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ જે ૧૨૫૫ લઈને જાલીડાથી આગળના ભાગમાં નેશનલ હાઈવે રોડ ઉપર તા. ૨૯ ના રોજ સાંજે આઠ વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક આડે નીલગાય ઉતરી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતના બનાવવા બાઇકચાલક ભરતભાઈ વાળાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનના પિતા કમલેશભાઈ રામાભાઇ ડેંગડા (૫૫)ની ફરિયાદ લઈને વાંકાનેર તાલુકા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બે યુવાનને માર માર્યો

મોરબી તાલુકાનાં મકનસર પાસે આવેલા તનમેરા સિરામિકમાં મારા મારિનો બનાવ બનેલ હતો જેમાં વિરેન્દ્ર ક્રિષ્ના શાહ (૨૩) અને મોહિત રૂબેન શાહ (૨૦)ને છ શખ્સોએ સળિયા વડે માર અમર્યો હતો જેથી તેને મોરબીમાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે અને આ મુદે ઇજાગ્રસ્તના ભાઈ મુકેશભાઇ સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, કારખાનામાં બેઠા હતા ત્યારે નજીવી વાતમાં મારા મારી થયેલ છે હાલમાં મોરબી તાલુકા પોલીન્સે બનાવની જાણ કરવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

ઝેરી દાવ પી લેતા સારવારમાં

મોરબીના અજંતા વિનયક પાર્કમાં રહેતા સંજયભાઈ ભૂપતભાઇ નાયક (૨૩)એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી છે જેથી કરીને તેને પ્રથમ મોરબીમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે અને રાજકોટથી મોરબી પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News