મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના છ બાળકોને પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન યોજનાનો લાભ અપાયો


SHARE











મોરબી જિલ્લાના છ બાળકોને પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન યોજનાનો લાભ અપાયો

દિલ્લીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા 'પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન' યોજના હેઠળ અપાતી સુવિધાઓને જાહેર કરી છે ત્યારે મોરબી કલેક્ટર કચેરીએ પણ કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા હાજર રહ્યા હતા અને તેના હસ્તે મોરબી જિલ્લાના છ બાળકોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો

'પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન' યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી છે અને દેશમાં માતા પિતા વિહોણા બાળકોને માતા પિતાની હૂંફ મળી રહે તે માટે સરકાર વિવિધ સુવિધાઓ આપી રહી છે તેનો લાભ આપવામાં આવ્યો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રનના માધ્યમથી આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવી રહ્યુ છે. આનાથી પાંચ લાખ સુધીના ઈલાજની મફત સુવિધા બાળકોને મળશે. આ ઉપરાંત 'બાળકો જ્યારે સ્કૂલનો અભ્યાસ પૂરો કરી લેશે તો તેમને આગળ અભ્યાસ માટે વધુ રુપિયાની જરુર પડશે ત્યારે તેના માટે ૧૮ વર્ષથી ૨૩ વર્ષ સુધી દર મહિને સ્ટાઈપેન્ડ મળશે. અને જ્યારે તે ૨૩ વર્ષના થશે ત્યારે ૧૦ લાખ રુપિયા તેમને એકસાથે મળશે. અને અન્ય દૈનિક જરૂરિયાતો માટે અન્ય યોજનાઓ દ્વારા બાળકોને દર મહિને ચાર હજાર રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં 'પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન' હેઠળ છ બાળકોને આવરી લેવામાં આવેલ છે જેમના ત્રણ મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં છે તેવું મોરબી કલેક્ટર કચેરીએ કાર્યક્ર્મ યોજાયો હતો તેમાં હાજર રહેલા કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યુ હતું
 






Latest News