હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાયત્રી ચોક પાસે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા


SHARE











વાંકાનેરના ગાયત્રી ચોક પાસે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

(શાહરુખ ચૌહાણ દ્વારા) વાંકાનેરના ગાયત્રી ચોક નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસ સર્વેલન્સ સ્ટાફના મુકેશભાઈ વાસાણી તથા જનકભાઈ ચાવડાને બાતમી મળી હતી કે, વાંકાનેરના ગાયત્રી ચોક નજીક જાહેરમાં જુગાર રમાઇ રહ્યો છે જેથી કરીને ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી. ત્યારે ભરતભાઇ કાનજીભાઇ ખાંભલા, પ્રવીણભાઈ હંસરાજભાઈ કુનપરા, અશ્વિનભાઈ કેશુભાઈ સોલંકી અને ગુલાબભાઈ ગુમાનભાઈ બરેડીયા જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે રોકડા રૂા.૧૨,૧૦૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી.આ કામગીરી પીઆઇ એન.એ.વસાવાની સૂચના મુજબ હરપાલસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, રાજસિંહ ઝાલા, મુકેશભાઈ વાસાણી અને જનકભાઈ ચાવડાએ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

સુરેન્દ્રનગરના થાન તાલુકાના સોનગઢ ગામે રહેતો ભભલુભાઈ વિક્રમભાઈ ધાંધલ નામનો ૨૨ વર્ષીય યુવાન થાન તરફથી સોનગઢ જતો હતો. તે બાઈક લઈને સોનગઢ જતો હતો ત્યારે તેના બાઇકને અજાણી રિક્ષાના ચાલકે હડફેટે લેતાં સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં ઘવાયેલ ભભલુભાઈ ધાંધલને સારવાર માટે અહીંની આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

માળીયા મીંયાણા ખાતે આવેલ ભરવાડ શેરીમાં રહેતા સલીમ કરીમભાઈ મોવર નામના ૨૭ વર્ષીય યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા જઈને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને બનાવ માળીયા પોલીસની હદમાં બન્યો હોય ત્યાંની પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.






Latest News