મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદના દિઘડિયામાં ઘર કામ માટે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત


SHARE











હળવદના દિઘડિયામાં ઘર કામ માટે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત

વર્તમાન સમયમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે અને આપઘાત કરવા પાછળના કારણ પણ સમાજ માટે ચિંતાજનક હોય છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવો જ એક બનાવ સામે આવેલ  છે જેમાં સગીરને ઘર કામ બાબતે પરિવારજનોએ ઠપકો આપતા સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દિઘડિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા કાજીબેન કરશનભાઇ નંદેસરીયા (૧૭) એ પોતાના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેને મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલે ખસેડાયો હતો અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં પોલીસ કર્મચારી પાસેથી મળતી માહિતી મુજબ મૃતક સગીરાને ઘર કામ બાબતે પરિવારે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા માતા પિતા બહાર ગામ ગયા હતા ત્યારે તેને આપઘાત કરી લીધેલ છે

મારા મારીમાં ઇજા

વાંકાનેરમાં થયેલ મારા મારીમાં ગીતાબેન મહેન્દ્રભાઇ રવિદાસ નામની ૩૫ વર્ષીય મહિલાને ઇજા થઈ હતી જેથી આ મહિલાને વાંકાનેરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ  ખસેડવામાં આવેલ છે 






Latest News