મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા પાસેથી લીલાઘાસની આડમાં દારૂની હેરાફેરી: ૮૭૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE







વાંકાનેરના વઘાસીયા પાસેથી લીલાઘાસની આડમાં દારૂની હેરાફેરી: ૮૭૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર વઘાસીયા ટોલનાકા પાસેથી અશોક લેલન નાની માલ વાહક ગાડી લીલું ઘાસ લઈને જતી હતી જેને રોકીને તલાશી લેવામાં આવી હતી ત્યારે લીલા ઘાસની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું અને વાહનમાથી દારૂની નાની મોટી ૮૭૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ,૩૮,૦૦૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળી કુલ ૨,૪૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે

 મોરબી એલ.સી.બી.ની ટીમના જયેશભાઇ વાઘેલા તથા વિક્રમભાઇ કુગશીયાને ખાનગી બાતમી મળી હતી કેચોટીલા તરફથી એક નંબર વગરની અશોક લેલન નાની માલ વાહક ગાડીમાં લીલા ઘાસની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો મોરબી તરફ આવવાનો છે જેથી કરીને એલસીબીની ટીમ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે વોચમાં હતી અને બાતમી વાળું વાહન નીકળતા રેઇડ કરતા અશોક લેલન દોસ્ત મોડલની નાની માલ વાહક ગાડીમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ ૮૭૬ બોટલો મળી આવી હતી જેથી ,૩૮,૦૦૦ નો દારૂ અને  મોબાઇલ તેમજ વાહન મળીને કુલ ૨,૪૩,૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને દારૂના જથ્થા સાથે પોલીસે હાલમાં ઇમરાન ભાઇજાન રજાકભાઇ મેમણ (ઉ.૩૨) રહે. ચોટીલાઘાંચીવાડ શેરી નં-૫ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા, દિલીપભાઇ ચૌધરીવિક્રમસિંહ બોરાણાજયેશભાઇ વાઘેલા, વિક્રમભાઇ કુગશીયાનિર્મળસિંહ જાડેજાબ્રિજેશ કાસુન્દ્રા વિગેરેએ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News