મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે કબીર પાર્ક સોસાયટીમાં યુવાને ઘરમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીના નાની વાવડી ગામે કબીર પાર્ક સોસાયટીમાં યુવાને ઘરમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી તાલુકાના નાની વાવડી ગામે કબીર પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલ કબીર પાર્ક સોસાયટીમાં રહેતાં મયુરભાઈ હસમુખભાઈ હળસોલા જાતે લુહાર (ઉમર ૨૫)એ કોઈ કારણોસર પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાતના આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એલ. પરમાર ચલાવી રહ્યા છે

અકસ્માત

મોરબીના નવાસાદુરકા ગામે ભરતનગર નજીક રહેતા અનિલભાઈ વીરસીંગભાઇ વિંજવાડિયા નામનો એકવીસ વર્ષીય યુવાન તા.૨૪-૫ ના બપોરે દોઢેક વાગ્યાના અરસામાં જુની આરટીઓ પાસે અમરેલી ગામના પાટિયા નજીકથી ઇકો કાર લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેની ઇકો કાર છકડો રીક્ષાની સાથે અથડાઈ હતી.જેથી સર્જાયેલ અકસ્માતમાં અનિલભાઈ ઝીંઝુવાડીયાને ઈજાઓ પહોંચતા સારવારમાં આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના હજનારી ગામના રહેવાસી રાજેશભાઈ ચમનભાઈ ધંધુકિયા નામના ૧૮ વર્ષીય યુવાને તા.૧૯ ના રોજ સવારે ૧૦ વાગ્યે ગામમાં કોઈ અજાણી દવા પી લીધી હતી.જેથી તેને અસર થતાં અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હાલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા બનાવ અંગે એન.જે.ખડિયા દ્વારા તપાસ આદરવામાં આવી છે.






Latest News