મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ભારે કરી... મોરબીમાં સાસુના ત્રાસથી ભાગી ગયેલ પરિણીતાએ પ્રેમલગ્ન કરી લીધા


SHARE







ભારે કરી... મોરબીમાં સાસુના ત્રાસથી ભાગી ગયેલ પરિણીતાએ પ્રેમલગ્ન કરી લીધા

મોરબીના લક્ષ્મીનગર ગામેથી વર્ષ ૨૦૧૮ માં પરિણીતા ગુમ થઈ હતી અને તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી દરમ્યાન સાસુના ત્રાસથી ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યું છે

મોરબીના લક્ષ્મીનગર ગામેથી પરિણીતા કમળાબેન ગુમ થઈ ગયા હતા જેથી તેની ફરિયાદ નોંધાઈ હતી અને તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં એવી માહિતી સામે આવી છે કે, સાસુ રેવીબેનના ત્રાસથી કંટાળી જઇને તે કોઈને કશું જ કહ્યા વગર જતી રહી હતી અને તે ચોટીલા બાજુ રખડતુ ભટકતુ જીવન જીવતી હતી ત્યારે ત્રણેક વર્ષ પહેલા રાજકોટના આરીફઅલી પરમાર સાથે પ્રેમસંબંધ બંધાતા તેને આરીફઅલી પરમાર સાથે ચોટીલા મંદીરમાં લગ્ન કરી લીધેલ છે જેથી પોલીસે આ અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે

પરિણીતા સારવારમાં

મોરબીના નવલખી રોડ લાયન્સનગરમાં રહેતા રેખાબેન હરેશભાઇ ગૌસ્વામી (ઉમર ૨૮) ને તેઓના ઘેર તેમના પતિ દ્વારા માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત રેખાબેનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ નજીકના પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા હિનાબેન રાહુલભાઈ જાદવ નામની ૨૦ વર્ષીય પરિણીતાને તેના ઘેર તેના પતિ સહિતના ઘરના અન્ય સભ્યો દ્વારા માર મારવામાં આવતા હિનાબેનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તાલુકા પોલીસે બનાવ અંગે જાણ થતાં હાલમાં બીટ વિસ્તારના જમાદાર એ.એલ.ઝાપડીયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર ગામે રહેતા હસમુખભાઇ કરશનભાઈ ભંખોડિયા નામના ૨૦ વર્ષના યુવાનને મચ્છુ ડેમ પાસે નવાગામે પરાઈ માતાના મંદિર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એ.એલ.ઝાપડીયા દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે આમરણના રહેવાસી રમેશભાઈ માવજીભાઈ કાસુન્દ્રા નામનો ૪૪ વર્ષીય યુવાન ગામ પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે ગામ નજીકના પેટ્રોલ પંપ પાસે બાઇક સ્લીપ થતાં ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.  






Latest News