મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

લો બોલો: વાંકાનેરના ચીફ ઓફિસરે આવક અને કામનો હિસાબ માંગતા કર્મચારીઓની હડતાળ !


SHARE











લો બોલો: વાંકાનેરના ચીફ ઓફિસરે આવક અને કામનો હિસાબ માંગતા કર્મચારીઓની હડતાળ !

વાંકાનેર પાલિકાના મહિલા ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓ ટેક્સની આવક સહિત પાલિકામાં થતી આવકની માહિતી આપતા ન હોવાથી તેની પાસે માહિતી માંગવામાં આવી હતી અને રાજકીય આગેવાનો પાસે કલાકો સુધી બેસી રહેતા હોવાથી પાલિકાની કામગીરી થતી ન હોવાથી કડક ભાષામાં સૂચના આપવામાં આવી હતી જેના વિરોધમાં હાલમાં વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે અને કર્મચારીઓએ ચીફ ઓફિસર માફી માંગે તેવી માંગ કરેલ છે

હાલમાં વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા જે હડતાળ કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ટાઉનહોલ શોપીંગ સેન્ટર ખાતે પાલિકામાં પાણીપૂરવઠાની ઓફિસ ખાતે અવાર નવાર બોલાવી કલાકથી વધારે સમય સુધી અધિકારી બેસાડી રાખે છે જેથી લોકોના કામો ખોરંભે ચડે છે, અંજલીબેન ગોહેલ, પ્રભાબેન અજાણા અને ડીંપલબેન એ. ભટ્ટને તા.૪/૫/૨૦૨૨ નાં રોજ કચેરીમાં બોલાવીને પ્રાદેશીક કમિશ્નરને પત્ર લખો કે, અમારે મુખ્ય અધિકારી તેમજ એકાઉન્ટન્ટની જરૂરીયાત નથી અન્યથા તમારૂ રાજીનામુ લખો એવુ કહ્યું હતું અને ગાળો આપી હતી, પાલિકા કચેરીનાં કર્મચારી અદિત્ય એચ. કરોતરા અને હાર્દિક એમ. સરસીયાને કચેરીમાં બોલાવીને 'તમારો કરાર આ મહિને રીન્યુ નહી કરવામાં આવે અને તમોને છુટા કરી દેવામાં આવશે’ એવી ધમકી આપેલ છે અને વારંવાર ઉચાપતનો આક્ષેપ કરીને ફોજદારી ગુન્હો દાખલ કરવાની ધમકીઓ આપવામાં આવે છે, પાલિકાનાં કર્મચારી કમલેશભાઈ આઈ. સોલંકી, દિપકસિંહ ટી. ઝાલા, મહેશભાઈ એસ. ચૌહાણ, મયુરભાઈ આર. સોલંકીને પોલીસ ફરીયાદ કરવાની ધમકી આપવામાં આવેલ છે તેવા આક્ષેપ સાથે પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે 

જો કે, આ મુદે પાલિકાના મહિલા ચીફ ઓફિસર તેજલ મુંધવા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, પાલિકામાં ટેક્સની આવક, જન્મ મરણ અને લગ્ન નોંધણીથી થતી આવક સહિતની આવકનો કોઈ હિસાબ કર્મચારીઓ દ્વારા આપવામાં આવતો નથી અને લોકોના કામ કરવાના બદલે રાજકીય આગેવાનો પાસે કલાકો સુધી બેસી રહેતા હોવાથી પાલિકાની કામગીરી થતી ન હોવાથી કડક ભાષામાં સૂચના આપવામાં આવી હતી અને જો હું ખોટી હોવ તો ભલેને કરે મારા ઉપરી અધિકારીને ફરિયાદ મને કોઈ વાંધો નથી પરંતુ જ્યાં સુધી વાંકાનેર પાલિકામાં છું ત્યાં સુધી પાલિકાના નાણાકીય હિસાબ યોગ્ય રીતે રાખવામા આવે અને લોકોના કામ સારી રીતે કરવામાં આવે તે જોવાની જવાબદારી મારી છે અને તે કામ મે હાલમાં કર્યું છે






Latest News