મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કનેકડાની વાડીમાં રામામંડળ જોવા માટે ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો


SHARE











મોરબીમાં કનેકડાની વાડીમાં રામામંડળ જોવા માટે ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો

મોરબીના શનાળા રોડ ઉપર કનેકડાની વાડીમાં રામામંડળ રમવા માટે આવ્યું હતું ત્યારે ત્યાં રામામંડળ જોવા માટે યુવાન ગયો હતો ત્યારે યુવાનને અગાઉ જે યુવતી સાથે પ્રેમ સબંધ હતો તેના પિતા અને ભાઈઓ સહિત કુલ મળીને ચાર શખ્સોએ યુવાનને ઢીકા પાટુ અને પટ્ટા વડે માર માર્યો હતો અને જો ફરીવાર અમારા ઘર બાજુ આવીસ તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી જેથી યુવાનને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચીત્રકુટ સોસાયટી શેરી નંબર ૪ માં રહેતા મહેશભાઇ દયારામભાઇ પરમાર જાતે સતવારા (ઉ.૨૧)એ હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સુરેશભાઇ ભાણજીભાઇ પરમાર, જેરામભાઇ ભાણજીભાઇ પરમાર, કાંતીલાલ ભાણજીભાઇ પરમાર અને જેરામભાઇના દીકરા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના શનાળા રોડ ઉપર કનેકડાની વાડી નવયુગ સ્કુલની પાછળના ભાગમાં આરોપીઓ રહે છે તેના ઘર પાસે રામામંડળ રમાતુ હતું જેથી કરીને તે ત્યાં જોવા માટે ગયો હતો ત્યારે ફરિયાદી યુવાનને આરોપી સુરેશભાઇ ભાણજીભાઇ પરમારની દીકરી સાથે અગાઉ પ્રેમ સંબધ હતો જેની જાણ તેને થતા સંબધ નહી રાખવા બન્ને પક્ષે સમાધાન થઈ ગયું હતું જો કે, કનેકડાની વાડીમાં રામામંડળ રમાતુ હતું માટે ફરિયાદી યુવાન ત્યાં જોવા માટે ગયો હતો તે આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ અમારા ઘર બાજુ કેમ આવેલ છે તેમ કહી ફરિયાદીને ગાળો આપી હતી અને ચારેય આરોપીઓએ ઢીકા પાટુ અને પટ્ટા વડે માર માર્યો હતો અને જો ફરીવાર અમારા ઘર બાજુ આવીસ તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News