મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી : હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા ૧૨ લોકોના મોતના બનાવમાં જવાબદારો સામે પગલા લેવા જિલ્લા કોગ્રેસની માંગ


SHARE











મોરબી : હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા ૧૨ લોકોના મોતના બનાવમાં જવાબદારો સામે પગલા લેવા જિલ્લા કોગ્રેસની માંગ

મોરબી જિલ્લાના હળવદ મુકામે દુઃખદ ઘટના બની હતી જેમા જીઆઇડીસીમાં આવેલ મીઠાના કારખાનામાં આશરે ૬૦ ફૂટની દીવાલ કોઇપણ જાતના આઘાર કે બીમ કોલમ વગરની દીવાલ હોવાથી અચાનક ઘસી પડતા યુનીટમાં મીઠાના પેકીંગનું કામ કરતા શ્રમજીવી પરિવારના બાળકો સહિત મહિલા-પુરુષ મળીને ૧૨ વ્યક્તિઓના મોત થયા છે અને અમુકને નાનીમોટી ઇજાઓ થઇ હતી. ત્યારે  મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલની આગેવાનીમાં હળવદ શહેર પ્રમુખ શેલૈષભાઈ દવે, તાલુકા પ્રમુખ રાણા,  હેમાંગભાઈ રાવલ, જટુભા તેમજ પી.પી.બાવારવા, અશ્વિનભાઇ વિડજા અને મહેશભાઇ રાજ્યગુરૂ વગેરે આગેવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને બનાવના સ્થળે પહોંચી ભોગ બનેલ પરીવારોને સાંત્વના પાઠવી હતી તેમજ ઇજાગ્રસ્તોની હોસ્પિટલ જઇને રૂબરૂ મુલાકાત કરી હતી અને મુતકના પરિવારજનોને રૂબરૂ મળી દિલસોજી પાઠવીને માનવ સર્જિત બેદરકારીની તપાસ કરી જવાબદાર સામે  કડક કાર્યવાહી કરવાની માંગણી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે તેમ જિલ્લા કોંગ્રેસે યાદીમાં જણાવેલ છે.






Latest News