તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી : હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા ૧૨ લોકોના મોતના બનાવમાં જવાબદારો સામે પગલા લેવા જિલ્લા કોગ્રેસની માંગ


SHARE











મોરબી : હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા ૧૨ લોકોના મોતના બનાવમાં જવાબદારો સામે પગલા લેવા જિલ્લા કોગ્રેસની માંગ

મોરબી જિલ્લાના હળવદ મુકામે દુઃખદ ઘટના બની હતી જેમા જીઆઇડીસીમાં આવેલ મીઠાના કારખાનામાં આશરે ૬૦ ફૂટની દીવાલ કોઇપણ જાતના આઘાર કે બીમ કોલમ વગરની દીવાલ હોવાથી અચાનક ઘસી પડતા યુનીટમાં મીઠાના પેકીંગનું કામ કરતા શ્રમજીવી પરિવારના બાળકો સહિત મહિલા-પુરુષ મળીને ૧૨ વ્યક્તિઓના મોત થયા છે અને અમુકને નાનીમોટી ઇજાઓ થઇ હતી. ત્યારે  મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલની આગેવાનીમાં હળવદ શહેર પ્રમુખ શેલૈષભાઈ દવે, તાલુકા પ્રમુખ રાણા,  હેમાંગભાઈ રાવલ, જટુભા તેમજ પી.પી.બાવારવા, અશ્વિનભાઇ વિડજા અને મહેશભાઇ રાજ્યગુરૂ વગેરે આગેવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને બનાવના સ્થળે પહોંચી ભોગ બનેલ પરીવારોને સાંત્વના પાઠવી હતી તેમજ ઇજાગ્રસ્તોની હોસ્પિટલ જઇને રૂબરૂ મુલાકાત કરી હતી અને મુતકના પરિવારજનોને રૂબરૂ મળી દિલસોજી પાઠવીને માનવ સર્જિત બેદરકારીની તપાસ કરી જવાબદાર સામે  કડક કાર્યવાહી કરવાની માંગણી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે તેમ જિલ્લા કોંગ્રેસે યાદીમાં જણાવેલ છે.






Latest News