તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં એસટીનો કંન્ટ્રોલ પોઈન્ટ ખોલવા માંગ


SHARE











મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં એસટીનો કંન્ટ્રોલ પોઈન્ટ ખોલવા માંગ

મોરબી જીલ્લો બન્યાને વર્ષો વિતી ગયેલ છે પરંતુ હજુ એસટીમાં જીલ્લો બનેલ હોય જણાતુ નથી.મોરબી-૨ ખાતે આશરે દોઠેક લાખની વસ્તી રહે છે જે ને એસટીની તમામ સુવીધા મળતી નથી કે આપવામાં આવતી નથી તે નરી હકીકત છે.

કારણકે અહીં મુસાફરોને બેસવાની કે પાણી પીવાની કોઈ સુવીધા નથી..! અહીંયા દરરોજ પાંચ હજાર મુસાફરની અવરજવર છે.પરંતુ મુસાફરને એસટી બસનો આવવા જવાનો ટાઈમ જાણવા માટે કોઈ સુવીધા નથી..! અહીંયા ૩૨૦ થી પણ વધારે બસોની અવર જવર થાય છે.છતા ઘણીવાર અહીંથી મુસાફર લેવામા આવતા નથી અને અહીંયા ઉતારવામાં પણ આવતા નથી.જે મુસાફરને મોંધાદાટ ભાડા ખર્ચીને જુના બસ સ્ટેન્ડ જવુ પડે છે.નવાઈની વાત તો એ છે કે બસ અહીંયાથી નીકળે છે છતા ત્યાંથી મુસાફર લેવામા આવતા નથી.જેથી મુસાફરો પ્રાઈવેટ વાહન તરફ વળી જાય છે અને એસ.ટી.ને લાખો રૂપીયાની નુકશાની થાય છે.તેથી મોરબી-૨ હાઉસીંગ બોર્ડ ખાતે કંન્ટ્રોલ કેબીન ખોલવામાં આવે તો મુસાફર જનતાને લાભ મળે તેમજ એસ.ટી.ને આવક પણ વધે તેમ છે.આ બનાવવામાં કોઈ મોટો ખર્ચ નથી ફકત કંન્ટ્રોલ કેબીન મુકવાની છે જેથી મુસાફરને આવવા જવાના ટાઈમ ટેબલની ખબર પડે આ બાબતે અવાર નવાર લેખીત રજુઆતો કરેલ છે છતા કોઈના દ્રારા આ નજીવા પશ્નનો નિકાલ આવેલ નથી જેથી અહીંના જાગૃત નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ એસટીના મેનેજીંગ ડિરેકટરને રજુઆત કરીને મુસાફરોમા હિતમાં યોગ્ય કરવા માંગ કરેલ છે.






Latest News