મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં એસટીનો કંન્ટ્રોલ પોઈન્ટ ખોલવા માંગ


SHARE











મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં એસટીનો કંન્ટ્રોલ પોઈન્ટ ખોલવા માંગ

મોરબી જીલ્લો બન્યાને વર્ષો વિતી ગયેલ છે પરંતુ હજુ એસટીમાં જીલ્લો બનેલ હોય જણાતુ નથી.મોરબી-૨ ખાતે આશરે દોઠેક લાખની વસ્તી રહે છે જે ને એસટીની તમામ સુવીધા મળતી નથી કે આપવામાં આવતી નથી તે નરી હકીકત છે.

કારણકે અહીં મુસાફરોને બેસવાની કે પાણી પીવાની કોઈ સુવીધા નથી..! અહીંયા દરરોજ પાંચ હજાર મુસાફરની અવરજવર છે.પરંતુ મુસાફરને એસટી બસનો આવવા જવાનો ટાઈમ જાણવા માટે કોઈ સુવીધા નથી..! અહીંયા ૩૨૦ થી પણ વધારે બસોની અવર જવર થાય છે.છતા ઘણીવાર અહીંથી મુસાફર લેવામા આવતા નથી અને અહીંયા ઉતારવામાં પણ આવતા નથી.જે મુસાફરને મોંધાદાટ ભાડા ખર્ચીને જુના બસ સ્ટેન્ડ જવુ પડે છે.નવાઈની વાત તો એ છે કે બસ અહીંયાથી નીકળે છે છતા ત્યાંથી મુસાફર લેવામા આવતા નથી.જેથી મુસાફરો પ્રાઈવેટ વાહન તરફ વળી જાય છે અને એસ.ટી.ને લાખો રૂપીયાની નુકશાની થાય છે.તેથી મોરબી-૨ હાઉસીંગ બોર્ડ ખાતે કંન્ટ્રોલ કેબીન ખોલવામાં આવે તો મુસાફર જનતાને લાભ મળે તેમજ એસ.ટી.ને આવક પણ વધે તેમ છે.આ બનાવવામાં કોઈ મોટો ખર્ચ નથી ફકત કંન્ટ્રોલ કેબીન મુકવાની છે જેથી મુસાફરને આવવા જવાના ટાઈમ ટેબલની ખબર પડે આ બાબતે અવાર નવાર લેખીત રજુઆતો કરેલ છે છતા કોઈના દ્રારા આ નજીવા પશ્નનો નિકાલ આવેલ નથી જેથી અહીંના જાગૃત નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ એસટીના મેનેજીંગ ડિરેકટરને રજુઆત કરીને મુસાફરોમા હિતમાં યોગ્ય કરવા માંગ કરેલ છે.






Latest News