હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વવાણીયા ગામે શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ


SHARE











માળીયા(મી)ના વવાણીયા ગામે શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી જિલ્લાના વવાણીયા ખાતે આહિર સમાજ સંચાલિત માતૃશ્રી રામબાઇ માં ની જગ્યા મધ્યે પ્રવાસન વિભાગ દ્વારા આશરે ૩ કરોડના ખર્ચે નવનિર્મિત ભોજનાલય તથા સભાખંડના લોકાર્પણ પ્રસંગે પધાર્યા હતાં. આ લોકાર્પણ સમારોહ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભૂવનની મુલાકાત  લીધી હતી અને મુખ્યમંત્રીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન- કવન વિશે માહિતગાર બની કૃતજ્ઞતા અનુભવી હતી. આ મુલાકાત દરમિયાન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વશ્રી બટુકભાઇ શાહ, દિલુભા જાડેજા, અશ્વિનભાઈ શાહ, મહેન્દ્રભાઇ શાહ અને શિવાંગીબેન મોદી મુખ્યમંત્રીની સાથે રહ્યા હતા






Latest News