મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના વીરપર ગામે એકલા રહેતા યુવાનના ઘરમાંથી તેનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો


SHARE











મોરબીના વીરપર ગામે એકલા રહેતા યુવાનના ઘરમાંથી તેનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ વિરપર ગામે યુવાન એકલો રહેતો હોય અને તેનાં ઘરમાંથી જ તેનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ટંકારા પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે.

ટંકારા પોલીસ મથકના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા પાછળ અમરેલી રોડ ભીમરાવનગરમાં રહેતા ચેતનભાઇ ગિરીશભાઇ ચાવડા નામના યુવાને પોલીસમાં જાણ કરીને જણાવ્યું હતું કે, તેમના ભાઈજીનો દીકરો જીતેન્દ્ર માવજીભાઇ ચાવડા (ઉંમર ૩૬) કે જે વીરપર ગામે એકલવાયુ જીવન જીવતો હોય અને તેનો તેના જ ઘરમાં કોઈ કારણસર ગુજરી ગયેલી હાલતમાં કોહવાઈ ગયેલી હાલતમાં લાશ પડી હોય દુર્ગંધ આવતા આસપાસના પડોશીઓએ ચેતનભાઇને જાણ કરતાં પોતે સ્થળ ઉપર ગયો હતો અને બાદમાં ટંકારા પોલીસને બનાવની જાણ કરી હતી.બનાવને પગલે ટંકારા પોલીસ મથકના એમ.પી.ચાવડાએ બનાવની નોંધ કરીને કયા કારણોસર જીતેન્દ્રભાઈ માવજીભાઈ ચાવડાનું મોત નિપજેલ છે તેની હકીકત મેળવવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

ગુમ થયેલ સગીરા મળી આવી

મોરબીના ટંકારા તાલુકાના લજાઇ ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા મૂળ દાહોદના પરિવારની સગીરા ગત તા.૧૦-૬ ના રોજ ગુમ થતા પરિવાર દ્રારા ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને બાદમાં બનાવ સંદર્ભે સગીરાના પરિવારે પોલીસને જાણ કરી હતી કે તેઓ જયાંના મૂળ રહેવાસી છે તે દાહોદના લીમખેડાના વિસ્તારમાંથી જ સગીરા મળી આવેલ છે. જેથી હાલ ટંકારા પોલીસે તે અંગે નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટા ભેલા ગામના રહેવાસી મયુર પ્રાણજીવન પટેલ નામનો ૨૪ વર્ષનો યુવાન પીપળીયા ચોકડી નજીક ચાલુ ટ્રકમાંથી નીચે પડી ગયો હતો જેથી ઇજાગ્રસ્ત મયુર પટેલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મહિલા સારવારમાં

ટંકારા તાલુકાના લજાઇ ગામે ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી મંજુલાબેન ભરતભાઈ મકવાણા નામની ૩૨ વર્ષીય મહિલાને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News