મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી ન અટકે તો તાળાબંધીની ચીમકી


SHARE











મોરબીની ત્રાજપર પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી ન અટકે તો તાળાબંધીની ચીમકી

મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી કરવામાં આવી છે જેને રોકવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી તો પણ બદલી અટકાવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી ત્રાજપર, માળીયા વનાળીયા ગામના લોકો વતી ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા તલાટીકમ મંત્રીની બદલી રોકવાની માંગ કરવામાં આવી છે અને જો બદલી રોકવામાં નહીં આવે તો પંચાયત ઓફિસને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

હાલમાં ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા નાયબ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને તેના તલાટી ક્રમ મંત્રી વી.એસ.ચંદ્રાલાની બદલી રોકવા માટેની રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૭ ના રોજ તલાટીકમ મંત્રીની બદલી કરવામાં આવી છે તેને રોકવા માટે અગાઉ આવેદન પત્ર આપેલ હતું. પરંતુ કોઈ જવાબ મળેલ નથી જેથી ત્રાજપર ગ્રામ પંચાયત તથા માળીયા વનાળીયા ગ્રામ પંચાયત વતી વધુ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વી.એસ.ચંદ્રાલાની બદલી જો સાત દિવસમાં રોકવામાં નહીં આવે તો સરપંચ તથા ગ્રામ પંચાયતની બોડી દ્વારા ગ્રામજનોને સાથે રાખીને પંચાયતને તાળાબંધી કરવામાં આવશે






Latest News