મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

"તમે અમારા શેઢે બાવળીયા કાપેલ છે" કહીને માલણીયાદમાં વૃધ્ધને માથામાં ધાર્યું ઝીકયું


SHARE







હળવદના માલણીયાદ ગામે "તમે અમારા શેઢે બાવળીયા કાપેલ છે" કહીને વૃધ્ધને માથામાં ધાર્યું ઝીકયું: ચાર સામે નોંધાયો ગુનો

હળવદ તાલુકાનાં માલણીયાદ ગામે રહેતા વૃદ્ધ ખેડૂતને "તમે અમારા શેઢે બાવળીયા કાપેલ છે" તેવું કહીને ચાર શખ્સો દ્વારા માર મારીને માથામાં ધારીયું મારવામાં આવ્યુ હતુ જેથી કરીને ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે લાવ્યા હતા અને હાલમાં તેમણે ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા અને માલણીયાદ ગામે ખેતર ધરાવતા અંબારામભાઈ ભવાનભાઈ કણજારીયા જાતે દલવાડી (૫૭)ને તે ગામની અંદર રહેતા મહાવીરસિંહ ગંભીરસિંહયુવરાજસિંહ મહાવીરસિંહઅર્જુનસિંહ ગંભીરસિંહ અને લખુભા ઉર્ફે બટુકસિંહ રહે. તમામ જૂના માલણીયાદ વાળાએ માર માર્યો હતો જેથી કરીને તેઓને ઇજા થતા તેમને સારવારમાં લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીઓએ "તમે અમારા જમીનના શેઢે બાવળીયા કાપેલ છે" તેવું કહીને ગાળો આપી હતી અને ત્યારબાદ તેને માર માર્યો હતો અને ત્યારે મહાવીરસિંહે વૃધ્ધને માથામાં ધારીયું માર્યુ હતુ જેથી તેઓને ઈજા થઈ હતી અને આ બનાવમાં હાલમાં હળવદ તાલુકા પોલીસે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News