મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારા નજીક રિક્ષાને આંતરીને લૂંટ !: ખોદયો પહાડ નીકળ્યો ઉંદર


SHARE







ટંકારા નજીક રિક્ષાને આંતરીને લૂંટ !: ખોદયો પહાડ નીકળ્યો ઉંદર

મોરબી રાજકોટ હાઇવે ઉપર રિક્ષા લઈને પસાર થઈ રહેલા રાજકોટના યુવાનને લૂંટી લેવામાં આવ્યો હોવાની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે તે દિશામાં તપાસ કરતાં લૂંટનું નાટક કર્યું હોવાની માહિતી સામે આવી હતી જેથી હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની જાહેરાત કરનારા શખ્સની સામે જ ફરિયાદ નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કાશીયાગાળા ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ ખાતે સોલ્વન્ટ ફાટક નજીક રહેતા દિનેશભાઇ સંગ્રામભાઈ જોગરાણા જાતે ભરવાડ રિક્ષા લઈને રાજકોટથી રોટાવેટર મશીનની ડીલેવરી આપવા માટે મોરબી જીલ્લામાં આવ્યા હતા અને ત્યાંથી માલની ડિલિવરી આપીને પરત જઇ રહ્યા હતા ત્યારે ત્રણ બાઇકમાં આવેલા અજાણ્યા શખસોએ તેની રિક્ષાને રોકાવીને રોકડા ૯૧૦૦૦ રૂપિયા તેમજ ચાંદીનું કડું અને એક મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે તેવી જાણ દિનેશભાઇએ તેના ભાઈ ભરતભાઈ અને શેઠ રાહુલભાઈને કરી હતી જેથી કરીને દિનેશભાઇના શેઠ રાહુલભાઈએ મોરબી જિલ્લા પોલીસના કંટ્રોલરૂમમાં લૂંટના બનાવની જાણ જાહેરાત કરી હતી અને મોરબી જિલ્લા પોલીસે લૂંટારાઓને પકડવા માટે નાકાબંધી પણ કરી હતી ત્યાર બાદ દિનેશભાઈ સંગ્રામભાઈ જોગરાણાને પોલીસ મથકે લાવીને તેની પોલીસ દ્વારા આગામી ઢબે પુછપરછ કરવામાં આવતા આ શખ્સે લૂંટનું નાટક કર્યું હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસને ખોટી માહિતી આપી ગુમરાહ કરનારા દિનેશભાઈ સંગ્રામભાઈ જોગરાણાની સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News