હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે આવનાર એકતા યાત્રા માટે કરણી સેના દ્વારા તડામાર તૈયારીઓ


SHARE











મોરબીમાં કાલે આવનાર એકતા યાત્રા માટે કરણી સેના દ્વારા તડામાર તૈયારીઓ

કચ્છના આશાપુરા માતાના મઢ ખાતેથી એકતા યાત્રા શરૂ કરવામાં આવેલી છે જેમાં વિવિધ મંદિરોની જ્યોત લઇને એકતા યાત્રા જુદા જુદા જિલ્લાઓમાં ફરીને અંતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થવાની હોય અને આ યાત્રા આવતીકાલ તા.૧૨ ના ચારેક વાગ્યે વાંકાનેર બાદ મોરબી પ્રવેશવાની હોય તેને લઈને મોરબી રાજપૂત કરણી સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત આવનાર યાત્રાના સ્વાગત કરવા માટે ઠેરઠેર અનેક આયોજનો કરવામાં આવેલા છે.

તારીખ ૧-૫ ના રોજ શરૂ થયેલી એકતા યાત્રા તારીખ ૧૬-૫ ના રોજ સોમનાથ ખાતે પૂર્ણ થવાની છે તે દરમિયાન આવતીકાલ તારીખ ૧૨ ના રોજ યાત્રા મોરબી આવવાની હોય તેને સત્કારવા માટે મોરબી રાજપૂત કરણી સેના દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.જેમાં આવતીકાલ તારીખ ૧૨ ના સાંજે ચારેક વાગ્યે સર્કિટ હાઉસ ખાતેથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી અને ત્યારબાદ શહેરના વિવિધ માર્ગો ઉપર એકતા યાત્રા નીકળશે અને તે દરમિયાન રસ્તામાં આવતા વિવિધ મહાપુરુષો અને શહીદોની પ્રતિમા ખાતે હારતોરા કરવામાં આવશે ત્યારબાદ શકત શનાળા ગામે આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથોસાથ તલવારબાજીના કરતબ પણ યોજવામાં આવેલ છે.કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને જિલ્લા પ્રભારી દશરથસિંહ (દશુભા) ઝાલા સહિતનાઓ તેમજ રાજપુત સમાજના પ્રમુખ રઘુભા ઝાલા મંત્રી મહાવીરસિંહ જાડેજા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.તેમજ શ્રી રાજપૂત કરણી સેના અને મોરબી રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપજીની જન્મ જયંતીની પણ ઉજવણી કરવામાં આવી હતી.જેમા મહારાણા પ્રતાપજીની પ્રતીમાને ફૂલહાર કરી તેમજ કેસરિયો ધ્વજ લહેરાવી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે શ્રી રાજપૂત કરણી સેનાના હોદેદારો તેમજ રાજપૂત સમાજના હોદેદારો અને રાજપૂત સમાજના અગ્રણી હાજર રહ્યા હતા.






Latest News