મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જૂની પીપળી ગામ પાસેથી સગીરાનું અપહરણ


SHARE











મોરબીના જૂની પીપળી ગામ પાસેથી સગીરાનું અપહરણ

મોરબી તાલુકાના જુના પીપળી ગામે રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુરના આદીવાસી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે એક ઇસમ અપહરણ કરી જતા ભોગ બનેલી સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ છોટાઉદેપુરના અંબાલાના ગ્રામ્ય વિસ્તારનો આદિવાસી પરિવાર મજૂરી સબબ મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા જુની પીપળી ગામે આવ્યો હતો અને અહીં ગત તા.૧ ફેબ્રુઆરીના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં આદિવાસી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને જાતીય સતામણી કરવાના ઈરાદે ભાવેશ રાજુભાઈ રાવત રહે.મેન્દ્રા ટંકરાફળીયુ દેવગઢ બારીયા દાહોદ વાળો અપહરણ કરી ગયો હતો જેથી કરીને હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પીઆઇ વી.એલ.પટેલ દ્વારા કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટની જુદીજુદી કલમો હેઠળ ભાવેશ રાજૂ રાવત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ભોગ બનેલી સગીરાને શોધી કાઢવા તેમજ આરોપીને ઝડપી પાડવા માટે તાલુકા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ગળે ફાંસો લાગી જતા સારવારમાં

મોરબીના વીસીપરામાં રણછોડનગર પાસે આવેલ વિજયનગરમાં રહેતા રામજીભાઈ દેવશીભાઇ ભરવાડ નામના ૨૦ વર્ષના યુવાનને ગળેફાંસો આવી જતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હોય બીટ વિસ્તારના જમાદાર વશરામભાઈ મેતાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યુ હતુ કે રામજીભાઈ ભરવાડ નામનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યાં વાછડીને દોરડું બાંધેલું હોય અને તે દોરડું ગળામાં સલવાઇ જતા અને વાંછડી તેને આંટો ફરી જતાં ગળેટુંપો આવી ગયો હતો અને જેથી કરીને તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.






Latest News