મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના જૂની પીપળી ગામ પાસેથી સગીરાનું અપહરણ


SHARE











મોરબીના જૂની પીપળી ગામ પાસેથી સગીરાનું અપહરણ

મોરબી તાલુકાના જુના પીપળી ગામે રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુરના આદીવાસી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે એક ઇસમ અપહરણ કરી જતા ભોગ બનેલી સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ છોટાઉદેપુરના અંબાલાના ગ્રામ્ય વિસ્તારનો આદિવાસી પરિવાર મજૂરી સબબ મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા જુની પીપળી ગામે આવ્યો હતો અને અહીં ગત તા.૧ ફેબ્રુઆરીના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં આદિવાસી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને જાતીય સતામણી કરવાના ઈરાદે ભાવેશ રાજુભાઈ રાવત રહે.મેન્દ્રા ટંકરાફળીયુ દેવગઢ બારીયા દાહોદ વાળો અપહરણ કરી ગયો હતો જેથી કરીને હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પીઆઇ વી.એલ.પટેલ દ્વારા કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટની જુદીજુદી કલમો હેઠળ ભાવેશ રાજૂ રાવત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ભોગ બનેલી સગીરાને શોધી કાઢવા તેમજ આરોપીને ઝડપી પાડવા માટે તાલુકા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ગળે ફાંસો લાગી જતા સારવારમાં

મોરબીના વીસીપરામાં રણછોડનગર પાસે આવેલ વિજયનગરમાં રહેતા રામજીભાઈ દેવશીભાઇ ભરવાડ નામના ૨૦ વર્ષના યુવાનને ગળેફાંસો આવી જતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હોય બીટ વિસ્તારના જમાદાર વશરામભાઈ મેતાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યુ હતુ કે રામજીભાઈ ભરવાડ નામનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યાં વાછડીને દોરડું બાંધેલું હોય અને તે દોરડું ગળામાં સલવાઇ જતા અને વાંછડી તેને આંટો ફરી જતાં ગળેટુંપો આવી ગયો હતો અને જેથી કરીને તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.






Latest News