મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : જાજાસર ગામે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે રામદેવ રામાયણ અને પાટોત્સવનું આયોજન


SHARE











મોરબી : જાજાસર ગામે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે રામદેવ રામાયણ અને પાટોત્સવનું આયોજન

મોરબી જીલ્લાના માળિયા(મિં.) તાલુકાના જાજાસર ગામે આવેસ જયશ્રી રામદેવજી મહારાજ અલખધામ આશ્રમે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે હોમ-હવન, બારપોરો પાટોત્સવ અને રામદેવ રામાયણના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.૧૦ ના કથા પ્રારંભ થયેલ છે અને આગામી તા. ૧૬ ના રોજ કથા વિરામ લેશે.

જાજાસરના અલખધામ આશ્રમ ખાતે તા.૧૬ સુધી દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કથા શ્રવણનો લાભ લઇ શકાશે.કથા દરમિયાન નંદ ઉત્સવ, રામદેવજી મહારાજ પ્રાગટ્ય, ભૈરવ ઉદ્ધાર, રામદેવજી મહારાજના વિવાહ અને ગતગંગા ભક્તોની કથા, રામદેવ મહારાજની પોથીયાત્રા, ભવ્ય રામાંમંડળ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં બાળ વિદુષી કથાકાર રત્નેશ્વરીદેવી (રતનબેન) ગુરુ પુ.ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ-મોરબી) વ્યાસ આસનેથી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.હવન તા.૧૪ ને શનિવારથી તા.૧૬ને સોમવાર સુધી યોજાનાર હોય આ કથા અને ધાર્મિક મહોત્સવનો લાભ લેવા અલખધામ આશ્રમના મહંત મૂળદાસબાપુ અને ગુરુશ્રી નાગરાજ બાપુએ શ્રધ્ધાળુઓને જાહેર નિમંત્રણ પાઠવેલ છે.






Latest News