મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ ગામે ઘરમાં પડી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીના ઘૂંટુ ગામે ઘરમાં પડી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા વિપ્ર વૃદ્ધ પોતાના ઘેર કોઈ કારણસર પડી ગયા હતા જેથી તેઓને શહેરના સામાકાંઠે આવેલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાં આજરોજ તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હોવાનું રાજકોટ ખાતેથી જાણવા મળે છે.

મોરબીના સામાકાંઠે હળવદ હાઇવે ઉપર આવેલા ઘુંટુ ગામ નજીક રામકો વિલેજમાં રહેતા અનંતરાય પ્રેમશંકરભાઈ જોશી નામના ૮૧ વર્ષીય વૃદ્ધ તા.૯-૫ ના સવારે પોતાના ઘેર પડી ગયા હતા.જેથી ઇજાઓ થવાથી તેઓને શહેરના સામાકાંઠે આવેલી સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં અનંતરાય પ્રેમશંકરભાઈ જોશીનું આજે તા.૧૦ ના રોજ સારવાર દરમિયાન મોત નીપજયું હતું.રાજકોટ ખાતે બનાવની નોંધ કરીને રાજકોટ પોલીસે બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.જેથી હાલ મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરાએ બનાવ અંગે આગળની તજવીજ શરૂ કરી છે.

કાર ચાલકે હડફેટે લેતા યુવાન સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મિલનપાર્ક વિસ્તારમાં રહેતો ખીમજીભાઈ રણછોડભાઈ નકુમ નામનો ૪૦ વર્ષીય યુવાન શનાળા રોડ ઉપરથી પગપાળા પોતાના ઘર તરફ વાવડી રોડ બાજુ જતો હતો ત્યારે રસ્તામાં લાતીપ્લોટ પાસે કોઈ અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા ઇજા થવાથી ખીમજીભાઈ નકુમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મિંયાણાના બેઠા પુલ પાસે પગપાળા જઇ રહેલ સમીર જુસબભાઈ ભટ્ટી નામના ૧૬ વર્ષીય યુવાનને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત સમીર ભટ્ટીને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News