મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સહિતનાઓએ કરી નરેશભાઈ પટેલની મુલાકાત


SHARE











મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સહિતનાઓએ કરી નરેશભાઈ પટેલની મુલાકાત

છેલ્લા ઘણા સમયથી કાગવડ ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા નરેશભાઈ પટેલ રાજકીય પક્ષમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે જોકે હજુ સુધી તેમના દ્વારા કોઇ પણ પક્ષમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને છેલ્લા ઘણા દિવસોથી તેઓ નજીકના સમયમાં રાજકીય પક્ષ સાથે જોડાશે કે નહીં જોડાય તેની સ્પષ્ટતા કરશે તેવી વાતો કરી રહ્યા છે દરમિયાન કાગવડ ખોડલધામ ખાતે પટેલ બ્રાસ વાળા પરિવાર તરફથી ધજા ચડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાંથી મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા, મોરબીમાં રહેતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઈ પનારા સહિતના ત્રીસથી વધુ આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓએ વર્તમાન રાજકીય સમીકરણ તેમજ પાટીદાર સમાજના ઉત્થાન માટેની નરેશભાઈ પટેલ સાથે ગોષ્ઠી કરી હતી તેવું જાણવા મળેલ છે






Latest News