મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી : સાવરકુંડલામાં યોજાનાર બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના વર્ગમાં જોડાવા આહવાન


SHARE







મોરબી : સાવરકુંડલામાં યોજાનાર બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના વર્ગમાં જોડાવા આહવાન

સાવરકુંડલાના બાઢડા ગામે આવેલ હાઈસ્કૂલ ખાતે સૌરાષ્ટ્ર કક્ષાનો બજરંગ દળનો વર્ગ યોજાવાનો છે જેમાં જોડાવા માટે આહવાન કરવામાં આવેલ છે.જેમાઘોડેસવારી, જૂડો કરાટે, લક્ષ્યભેદ, લાઠીદાવ, ઓબસ્ટીકલ, ધનુર્વિદ્યા (તીરંદાજી), રમતો, યોગાસન, ધ્યાન અને સૂર્યનમસ્કાર તેમજ યષ્ટી જેવી તાલીમ લેવા માટે ૧૫ થી ૩૫ વર્ષના યુવાનોને આહવાન કરવામાં આવેલ છે.બજરંગદળનો આ વર્ગ અવશ્ય કરો તેમજ અન્ય યુવાનોને પણ વર્ગ કરવા માટે પ્રેરકરૂપ બનવા જણાવાયેલ છે.આ બજરંગદળનો સૌરાષ્ટ્ર પ્રાંતનો વર્ગ છે જેમાં તમામ જિલ્લામાંથી યુવાનો મોટી સંખ્યામાં જોડાશે જેથી આ એક અવસર સમાન ગણી સંપર્કિત હોય એવા તમામ યુવાનોને જોડવા જણાવાયેલ છે.

આગામી દિનાંક ૧૪ મે શનિવારથી ૨૧ મે શનિવાર સુધી શ્રી એચ. એન.વિરાણી હાઈસ્કુલ, બાઢડા જી.સાવરકુંડલા ખાતે વર્ગ યોજીશે.બજરંગદળની પત્રિકામાં તમામ માહિતી દર્શાવેલ છે જે પૂરી રીતે વાંચી લેવી.તેમજ મોરબીના તમામ ગ્રુપમા જાણ કપીને દરેક યુવાનો સુધી બજરંગદળના આ વર્ગની માહિતી પહોંચાડવા જણાવાયેલ છે.વર્ગમાં  જોડાવા માટે કમલભાઈ દવે મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, મોરબી જીલ્લો (મો.૯૫૯૫૬ ૮૮૮૮૮૮), કૃષ્પભાઈ રાઠોડ બજરંગદળ જિલ્લા સંયોજક (મો.૯૬૮૭૬ ૧૮૦૦૬), કમલેશભાઈ આહીર અઘ્યક્ષ મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદ (મો.૯૦૯૯૧ ૧૦૦૦૫), ઈશ્વરભાઈ કંજારીયા (નો.૭૦૬૯૩ ૧૨૫૭૫) અથવા પુષ્પરાજસિંહ જાડેજા અઘ્યક્ષ મોરબી ગ્રામ્ય વિશ્વ હિન્દુ પરિષદ (મો.૯૯૭૮૧ ૧૭૧૧૭) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News