મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારામાં યુવાને વ્યાજે લીધેલ રૂપિયાનું તોતિંગ વ્યાજ આપવા છતાં પઠાણી ઉઘરાણી કરનારા બે સામે ગુનો નોંધાયો


SHARE













ટંકારામાં યુવાને વ્યાજે લીધેલ રૂપિયાનું તોતિંગ વ્યાજ આપવા છતાં પઠાણી ઉઘરાણી કરનારા બે સામે ગુનો નોંધાયો

ટંકારામાં વ્યાજખોરોના પાપે થોડા સમય પહેલા વેપારીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો તેની સાહી હજુ તો સુકાઈ નથી ત્યાં સિરામીક ટાઇલ્સના વેપાર સાથે જોડાયેલા યુવાને ૧૦ ટકાના વ્યાજે બે શખ્સ પાસેથી રૂપિયા લીધા હતા તેની સામે તોતિંગ વ્યાજ આપી દીધું હોવા છતાં પણ તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોરોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે

ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા અને ખેતી કરવાની સાથે સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા બીપીનભાઈ વશરામભાઈ કાસુન્દ્રાએ ગજડી ગામના અમિતભાઇ મોહનભાઇ રૂંજા જાતે બોરિચા પાસેથી દસ માસ પૂર્વે ૧૦ ટકા લેખે રૂપિયા ૧,૫૦,૦૦૦ અને રાજુભાઇ મોમૈયાભાઈ સવસેતા પાસેથી નવ મહિના પૂર્વે ૧૦ ટકા વ્યાજે ૩,૫૦,૦૦૦ લીધા બાદ બન્નેને અનુક્રમે ૪,૫૦,૦૦૦ અને ૯,૦૦,૦૦૦ ચૂકવી આપવા છતાં વ્યાજખોરો દ્વારા ઘરે રૂબરૂ આવીને તેમજ ફોનમાં વ્યાજ અને મુદ્દલ ચૂકવી દેવા ધમકી આપી જાનથી મારી નાંખવા ધમકી આપતા હતા જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.






Latest News