મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાના લાભાર્થીઓને નોંધણી કરાવવા અનુરોધ


SHARE











મોરબી જીલ્લામાં સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાના લાભાર્થીઓને નોંધણી કરાવવા અનુરોધ

બાળ જન્મના પ્રથમ ૧૦૦૦ દિવસ પોષણ માટે અતિ મહત્વપૂર્ણ હોય છે. જેમાં સગર્ભા અવસ્થાના ૯ માસ અને ત્યાર બાદ બાળક ૨ વર્ષનું થાય તે સમયગાળાનો સમાવેશ થાય છે. જેથી સગર્ભા, ધાત્રી તેમજ ૬ માસ થી ૨ વર્ષના બાળકના પોષણસ્તરમાં સુધારો થાય તે હેતુથી સુપોષણ માટે કાર્યરત ગુજરાત સરકાર દ્વારા સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના- SMSBY નો આઈ.સી.ડી.એસ. મારફતે વર્ષ ૨૦૨૨-૨૩થી શુભારંભ કરવામાં આવેલ છે.

જેમાં લાભાર્થીને દર માસે ૧ કિલો તુવેર દાળ, ૧ લીટર સીંગતેલ તેમજ ૨ કિલો ચણા દર માસે આંગણવાડી મારફતે પુરા પાડવામાં આવશે. આ માટે જુલાઈ ૨૦૨૦ કે ત્યાર બાદ જન્મેલ બાળકની માતા તેમજ ઓગસ્ટ ૨૦૨૧ કે ત્યાર બાદ ગર્ભ ધારણ કરેલ બહેનની SMSBY એપ્લીકેશન પર નોંધણી કરેલ હોવી જરૂરી છે. આ નોંધણી માટે લાભાર્થીની આંગણવાડીમાં નોંધણી, આરોગ્ય વિભાગમાં નોંધણી (ઈ-મમતા આઈ.ડી ટેકો આઈ.ડી), ગુજરાતના NFSA રાશનકાર્ડમાં આધાર કાર્ડ સાથે નોંધણી હોવી ફરજીયાત છે. નોંધણી ન કરાવેલ લાભાર્થીઓએ નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મોરબીની યાદીમાં જણાવેલ છે.






Latest News