મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાના લાભાર્થીઓને નોંધણી કરાવવા અનુરોધ


SHARE











મોરબી જીલ્લામાં સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાના લાભાર્થીઓને નોંધણી કરાવવા અનુરોધ

બાળ જન્મના પ્રથમ ૧૦૦૦ દિવસ પોષણ માટે અતિ મહત્વપૂર્ણ હોય છે. જેમાં સગર્ભા અવસ્થાના ૯ માસ અને ત્યાર બાદ બાળક ૨ વર્ષનું થાય તે સમયગાળાનો સમાવેશ થાય છે. જેથી સગર્ભા, ધાત્રી તેમજ ૬ માસ થી ૨ વર્ષના બાળકના પોષણસ્તરમાં સુધારો થાય તે હેતુથી સુપોષણ માટે કાર્યરત ગુજરાત સરકાર દ્વારા સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના- SMSBY નો આઈ.સી.ડી.એસ. મારફતે વર્ષ ૨૦૨૨-૨૩થી શુભારંભ કરવામાં આવેલ છે.

જેમાં લાભાર્થીને દર માસે ૧ કિલો તુવેર દાળ, ૧ લીટર સીંગતેલ તેમજ ૨ કિલો ચણા દર માસે આંગણવાડી મારફતે પુરા પાડવામાં આવશે. આ માટે જુલાઈ ૨૦૨૦ કે ત્યાર બાદ જન્મેલ બાળકની માતા તેમજ ઓગસ્ટ ૨૦૨૧ કે ત્યાર બાદ ગર્ભ ધારણ કરેલ બહેનની SMSBY એપ્લીકેશન પર નોંધણી કરેલ હોવી જરૂરી છે. આ નોંધણી માટે લાભાર્થીની આંગણવાડીમાં નોંધણી, આરોગ્ય વિભાગમાં નોંધણી (ઈ-મમતા આઈ.ડી ટેકો આઈ.ડી), ગુજરાતના NFSA રાશનકાર્ડમાં આધાર કાર્ડ સાથે નોંધણી હોવી ફરજીયાત છે. નોંધણી ન કરાવેલ લાભાર્થીઓએ નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મોરબીની યાદીમાં જણાવેલ છે.






Latest News