ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ સંકૂલ ખાતે સૌરાષ્ટ્ર યુનિ. હેઠળની કોલેજોમાં વેકસીનેશન અભિયાન માટે મીટીંગ યોજાઇ


SHARE











મોરબીના નવયુગ સંકૂલ ખાતે સૌરાષ્ટ્ર યુનિ. હેઠળની કોલેજોમાં વેકસીનેશન અભિયાન માટે મીટીંગ યોજાઇ


ગુજરાત સરકારના વેક્સિનેશન અભિયાનને વેગવંતુ બનાવવા ની માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પહેલના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત મોરબી શહેર અને જીલ્લાની કોલેજોમાં ભણતા સ્ટુડન્ટ્સ અને તેના પરીવારજનોને વેકસીનેશન કરવાના અભિયાનના સંદર્ભમાં એક મીટીંગનું આયોજન નવયુગ કોલેજના આંગણે કરવામાં આવ્યું હતું.

જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી, આઈ.કયુ.એ.સી. ના ડાયરેક્ટર ડો.ગીરીશભાઈ ભીમાણી ઉપસ્થિતિ રહ્યા હતા અને સૌએ આગામી સમયમાં દરેક સ્ટુડન્ટને કઈ રીતે વેકસીન આપી શકાય અને સ્ટુડન્ટ કઇ રીતે સમાજમાં વેક્સીનેશન બાબતે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી શકે તે બાબતનું આયોજન કરવામાં આવ્યું હતું. નવયુગ ગૃપ ઓફ્ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા એ સમાપન કરતા જણાવ્યું કે આવનારા સમયમાં મોરબી જિલ્લા ની તમામ કોલેજોના વેક્સીનેશન કેન્દ્રમાં તમામ સ્ટુડન્ટ્સનું સફળતાપૂર્વક ૧૦૦% વેક્સીનેશન થાય તે માટે બધી કોલેજો દ્રારા પુરા પ્રયાસો હાથ ધરવામાં આવશે અને કોઇ કોલેજને કોઇપણ પ્રકારની જરૂર હોય તો તે નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્રારા પુરી પાડવાની તૈયારી પણ બતાવી હતી. આ મીટીંગમાં મોરબી શહેર અને જીલ્લાની તમામ કોલેજોના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નવયુગના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયાના માર્ગદર્શન હેઠળ સર્વે સ્ટાફએ જહેમત ઉઠાવી હતી

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News