મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડા ગામે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા હાથી ઘોડાગાડી સાથે ૧૧ નિરાધાર દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે


SHARE













વાંકાનેરના રાતાવીરડા ગામે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા હાથી ઘોડાગાડી સાથે ૧૧ નિરાધાર દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે

 આવતી કાલ તા.૧૯ ના જરૂરીયાતમંદ પરિવારની ૧૧ દીકરીઓનો સમુહલગ્નનું આયોજન

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના ગામના સરપંચ બાબુભાઈ ભરવાડ અને શ્રી સાંઈબાબા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તા.૧૯ ને મંગળવારના રોજ વાંકાનેરના રાતાવીરડા ગામે રામદેવપીર મંદિર ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે. જેમાં જરૂરીયાતમંદ પરિવારની ૧૧ નિરાધાર દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરાયેલ છે.આ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ નિરાધાર દીકરીઓના ધામધુમથી લગ્નોત્સવ ઉજવાશે.સમૂહ લગ્નોત્સવ નિમિતે આજે તા. ૧૮ ને સોમવારની રાત્રે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આવતી કાલ તા.૧૯ ના રોજ સવારે હવન અને ત્યારબાદ ફૂલેકું યોજાશે જેમા હેલીકોપ્ટર વડે પુષ્પવર્ષા અને હાથી, ઘોડાગાડી સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશે.બપોરે સમુહપ્રસાદ તેમજ સંતો-મહંતોની હાજરીમાં દિકરીઓના હસ્ત મેળાપ બાદ સંતો-મહંતો આશીર્વાદ પાઠવશે અને ત્યારબાદ સાંજે વિદાય સમારોહ યોજાશે.






Latest News