મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડા ગામે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા હાથી ઘોડાગાડી સાથે ૧૧ નિરાધાર દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે


SHARE











વાંકાનેરના રાતાવીરડા ગામે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા હાથી ઘોડાગાડી સાથે ૧૧ નિરાધાર દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે

 આવતી કાલ તા.૧૯ ના જરૂરીયાતમંદ પરિવારની ૧૧ દીકરીઓનો સમુહલગ્નનું આયોજન

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના ગામના સરપંચ બાબુભાઈ ભરવાડ અને શ્રી સાંઈબાબા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તા.૧૯ ને મંગળવારના રોજ વાંકાનેરના રાતાવીરડા ગામે રામદેવપીર મંદિર ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે. જેમાં જરૂરીયાતમંદ પરિવારની ૧૧ નિરાધાર દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરાયેલ છે.આ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ નિરાધાર દીકરીઓના ધામધુમથી લગ્નોત્સવ ઉજવાશે.સમૂહ લગ્નોત્સવ નિમિતે આજે તા. ૧૮ ને સોમવારની રાત્રે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આવતી કાલ તા.૧૯ ના રોજ સવારે હવન અને ત્યારબાદ ફૂલેકું યોજાશે જેમા હેલીકોપ્ટર વડે પુષ્પવર્ષા અને હાથી, ઘોડાગાડી સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશે.બપોરે સમુહપ્રસાદ તેમજ સંતો-મહંતોની હાજરીમાં દિકરીઓના હસ્ત મેળાપ બાદ સંતો-મહંતો આશીર્વાદ પાઠવશે અને ત્યારબાદ સાંજે વિદાય સમારોહ યોજાશે.






Latest News